WHO તરફથી વિકાસશીલ દેશોને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટમાં રસ્તાની ગુણવત્તા અને રોડ અકસ્માતમાં થતાં મોતનો ઉલ્લેખ કર્યો છે.
WHOએ વિકાસશીલ દેશો સામે લાલ આંખ કરી
રસ્તાની ગુણવત્તા સુધારવા માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા
પગપાળા ચાલનારા લોકો માટે ફુટપાથ બનાવવું સૂચન આપ્યું
વિશ્વભરમાં રસ્તાની ગુણવત્તામાં સુધારો લાવો. પગપાળા યાત્રીઓને ચાલવા માટે તમામ જગ્યા પર ફુટપાથ બનાવો. ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અલગ અલગ સંસ્થાઓ સાથે મળીને રાહદારીઓને રોડ અકસ્માતથી બચાવવા માટે અને હેલ્મેટના ઉપયોગને લઈ વૈશ્વિક સ્તર પર આ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
આ દિશા નિર્દેશોને આઈઆઈટી દિલ્હીના ટ્રાંસપોર્ટેશન રિસર્ચ ઈંઝરી પ્રિવેંશન સેન્ટર દ્વારા એક સામાજિક સંસ્થાના સહયોગથી આયોજીત સંગોષ્ઠીમાં તેની જાણકારી આપી છે. WHOના સેફ્ટી એન્ડ મોબિલિટી પ્રમુખ ડો. નહાન ટ્રાને જણાવ્યું છે કે, આ નવા દિશા નિર્દેશ પગપાળા યાત્રીઓની સાથે થતાં રોડ અકસ્માતને ઘટાડવામાં ઉપયોગી સાબિત થશે.
ગુણવત્તાવાળા હેલ્મેટના ઉપયોગથી 74 ટકા મોત ઘટાડી શકાય
હેલ્મેટ વિના માથામાં લાગતી ઈજાથી મોતને ઘટાડવા માટે ગુણવત્તાવાળા હેલ્મેટનો ઉપયોગ કડકાઈથી લાગૂ કરવા માટે કહેવાયુ છે કે, ગુણવત્તાવાળા હેલ્મેટનો ઉપયોગ કરવાથી ઘાતક ઈજાથી થનારા મોતના મામલા 74 ટકા ઓછા કરી શકાય છે.
વિકાસશીલ દેશોમાં રોડ અકસ્માતમાં દર મિનિટે બેથી વધારે લોકોના મોત
વિકાસશીલ દેશોમાં સૌથી વધારે રોડ અસ્માત બે તથા ત્રણ પૈડાવાળા વાહનોથી થાય છે. રોડ અકસ્માતમાં દર વર્ષે વિશ્વમાં 13 લાખથી વધારે લોકો માર્યા જાય છે. આવી રીતે દર મિનિટે બેથી વધારે મોત થાય છે. તેમાંથી 10માંથી નવના મોત નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં થાય છે.
આ મોતમાં પાંચથી 29 વર્ષની ઉંમરના બાળકો તથા યુવાનોની સંખ્યા વધારે છે. WHOના રિપોર્ટ્ અનુસાર, તમામ દુર્ઘટનામાં થનારા મોતમાં લગભગ 30 ટકામાં બે અને ત્રણ પૈડાવાળા વાહન સામેલ છે.
તો વળી ભારતમાં પગપાળા યાત્રીઓની વાત કરીએ તો, અહીં કુલ રોડ અકસ્માતમાં પગપાળા યાત્રીઓના આંકડા 30 ટકા છે. તો વળી ભારતમાં અમુક મોટા શહેરોમાં માર્યા ગયેલા પગપાળા યાત્રીઓના મોતનો આંકડો 60 ટકા છે.