દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ મીઠું છે રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો યોગ્ય સમયે પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સાત રાજ્યોમાં લગભગ લાખો લોકો તેની સાથે જોડાયેલી બીમારીથી પોતાનો જીવ ગુમાવી દેશે.
વધુ પડતું મીઠું ખાવાથી થઈ શકે છે બીમારી
સાત રાજ્યોમાં લાખો લોકો પર છે ખતરો
લોકોના જમવામાં ૩૦ ટકા મીઠું ઘટાડવાનો WHOનું લક્ષ્ય
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દાવો કર્યો છે કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ મીઠું છે. WHOના રિપોર્ટમાં જણાવાયું છે કે જરૂરિયાતથી વધુ સંખ્યામાં મીઠું ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. WHOનું લક્ષ્ય ૨૦૨૫ સુધી લોકોના જમવામાં ૩૦ ટકા મીઠુ ઘટાડવાનું છે, જોકે તે થવું સરળ લાગી રહ્યું નથી. માત્ર નવ દેશો બ્રાઝિલ, ચિલી, ચેકગણરાજ્ય, લિથુઆનિયા, મલેશિયા, મેક્સિકો, સાઉદી અરબ, સ્પેન અને ઉરુગ્વેએ જ જમવામાં મીઠું ખાવા માટેના ખાસ નિયમો બનાવ્યા છે.
દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ મીઠું છે રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો યોગ્ય સમયે પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સાત રાજ્યોમાં લગભગ લાખો લોકો તેની સાથે જોડાયેલી બીમારીથી પોતાનો જીવ ગુમાવી દેશે.
મીઠું કેમ જરૂરી છે?
મીઠામાં સોડિયમ અને પોટેશિયમની માત્રા વધુ હોય છે. સોડિયમ વ્યક્તિના શરીરમાં પાણીનું યોગ્ય લેવલ જાળવી રાખવાથી લઇને ઓક્સિજન અને પોષક તત્ત્વ તમામ અંગો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ કારણે આપણી વેસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકે છે.
વધુ મીઠું ખાવાથી આ બીમારીઓનો ખતરો
મીઠામાં સોડિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. વધુ માત્રામાં તેનું સેવન હ્રદય રોગ, સ્ટ્રોક અને કિડનીના રોગનો ખતરો વધારી શકે છે. આ ઉપરાંત દુનિયાભરમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે લાંબા સમય સુધી સોડિયમની વધુ માત્રા લેવાથી મેદસ્વીતા, પેટનું કેન્સર અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ વધે છે.ભારતીયોના જમવામાં મીઠાનું પ્રમાણ વધુ ભારતીયોમાં મીઠાનો વપરાશ વધી રહ્યો છે. આજે આપણે જે પ્રકારની ખાણીપીણી ખાઇએ છીએ તેમાં વધુ મીઠું હોય છે. કોઇ પણ વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ન ખાવુ જોઇએ.જોકે આખી દુનિયામાં લોકો રોજ ૧૦.૮ ગ્રામ મીઠાનું સેવન કરે છે, જે ઘાતક પરિણામો આપે છે અને કિડની, સ્ટ્રોક, હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બીમારીઓની ભેટ આપે છે.
કેવી રીતે વધે છે શરીરમાં સોડિયમનું પ્રમાણ
ડોક્ટર્સ કહે છે કે ઘરના રેગ્યુલર ભોજનથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધતું નથી, પરંતુ બહારના પેક્ડ ફૂડ, જંક ફૂડ તેના માટે જવાબદાર છે. પેક્ડ ફૂડ, ફ્રોઝન અને રેડી ટુ ઇટ ફૂડ્સમાં ખૂબ મીઠું હોય છે. તેથી તેને સીમિત કરવું જરૂરી છે. જો તમે પેક્ડ ફૂડ ખાવ છો તો લેબલ પર સોડિયમની માત્રા ચેક કરો.
સિંઘવ મીઠું ખાવાનો ટ્રેન્ડ વધ્યો
આજકાલ લોકોમાં આયોડિન મીઠું ખાવાના બદલે સિંધાલૂણ ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે. ભારતમાં પહેલા લોકો તેનો ઉપયોગ વ્રતમાં કરતા હતા, પરંતુ હવે રોજિંદા જીવનમાં પણ લોકો તે ખાઇ રહ્યા છે. તેને રોક સોલ્ટ કહેવાય છે. તેમાં સાધારણ મીઠાની તુલનામાં વધુ મિનરલ્સ હોય છે કેમકે તેને બનાવવામાં કેમિકલ પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી. તેથી તેમાં મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવાં તત્ત્વ મળી આવે છે જે હાડકાં, માંસપેશીઓ, પાચન અને બ્લડ પ્રેશર સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર રાખે છે.