WHOએ કહ્યું છે કે કોરોના મહામારીથી બચવા માટે સૌથી વધારે જોખમ વાળા વૃદ્ધ વ્યક્તિઓએ વાયરસના વેરિઅન્ટથી બચવા માટે દર વર્ષે વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાનો રહેશે.
WHOએ કરી ખાસ જાહેરાત
કોરોના વેરિઅન્ટના બચાવ માટે જરૂરી રહેશે બૂસ્ટર ડોઝ
વધારે જોખમ વાળા વૃદ્ધ વ્યક્તિઓએ દર વર્ષે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી
WHOએ કહ્યું છે કે કોરોના મહામારીથી બચવા માટે સૌથી વધારે જોખમ વાળા વૃદ્ધ વ્યક્તિઓએ વાયરસના વેરિઅન્ટથી બચવા માટે દર વર્ષે વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાનો રહેશે. આ અનુમાન એક રિપોર્ટમાં કરાયું છે. જેની પર વેક્સિનને લઈને બનેલા બોર્ડ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. ગાવી WHOના વેકિસન કાર્યક્રમ કોવાક્સનો સહયોગી છે. મોર્ડના, ફાઈબર જેવી કંપનીઓ પહેલાથી કહેતી આવી રહી છે કે ઈમ્યુનિટીના ઉચ્ચ સ્તરને બનાવી રાખવા માટે બૂસ્ટર ડોઝની જરૂરત રહેશે જેનાથી તેને લઈને કોઈ સબૂત નથી, દસ્તાવેજથી ખ્યાલ આવે છે કે WHOએ ઉચ્ચ જોખમ વાળા વ્યક્તિઓ માટે બૂસ્ટરને પોતાના સાંકેતિક લેસલાઈન ગણાવ્યા છે. અને સામાન્ય માણસ માટે 2 વર્ષ બૂસ્ટર ડોઝની જરૂર રહે છે.
જો કે એ વાત નક્કી કરાઈ નથી કે આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચાશે. બેસલાઈન પરિદ્રશ્યના આધારે નવા વેરિઅન્ટ સામે આવતા રહેશે અને આ ખતરાથી બહાર આવવા માટે વેક્સિનને નિયમિત રૂપથી અપડેટ કરાતા રહેશે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ શરૂઆતના દસ્તાવેજ પર ટિપ્પણી કરવાની મનાઈ કરી હતી. જ્યારે ગાવીએ કોઈ તત્કાળ પ્રતિક્રિયા આપી નથી.
આવતા વર્ષુ સુધીમાં આટલી વેક્સિનના ડોઝ બનશે
8 જૂનના રિપોર્ટ અનુસાર કામ ચાલી રહ્યું છે અને આવનારા વર્ષ સુધીમાં વૈશ્વિક સ્તરે 12 અરબ કોરોના વેક્સિનના ડોઝ તૈયાર કરાશે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફાર્માસ્યુટિકલ મેન્યૂફેક્ચરર્સ એન્ડ એસોસિયેશન દ્વારા આ વર્ષ માટે 11 અરબ ડોઝનું પૂર્વાનુંમાનથી થોડું વધારે રહેશે.
કોરોનાથી થઈ ચૂક્યા છે આટલા મોત
કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 40 લાખથી વધારે મોત થયા છે. થોડા દિવસ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટ પર વેક્સિન ઓછી અસરકારક જોવા મળી રહી છે. જો કે રાહતની વાત એ છે કે વેક્સિનથી મોતનો ખતરો ઓછો રહે છે અને ગંભીર બીમારીથી બચાવે છે. તેઓએ કહ્યું કે તેનું કારણ મ્યૂટેશનમાં થતા અનેક ફેરફાર છે. આ કારણ છે કે વેક્સિનની અસર ઘટી રહી છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ભારતમાં મળેલા વેરિઅન્ટથી મ્યૂટેશન વધી રહ્યું છે. વાયરસના હાવી થવામાં સક્ષમ સ્વરૂપોને એક જૈવિક લાભ મળે છે જે છે મ્યૂટેશન. આ સ્વરૂપ લોકોની વચ્ચે સરળતાથી ફેલાઈ જાય છે.