નાણાં મંત્રી નીર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ એટલે કે આજે બજેટ રજૂ કરવાના છે. આઝાદી બાદ અત્યાર સુધી દેશે કુલ 26 નાણાંમંત્રી જોયા છે. 1947થી અત્યારસુધી કુલ 89 સામાન્ય અને અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. નિમર્લા સીતારામન આ વખતે 89મું બજેટ રજૂ કરશે.
171.85 કરોડ રૂપિયાનું હતુ પ્રથમ બજેટ
સાડા 7 મહિના માટે રજૂ કરાયુ હતુ પ્રથમ બજેટ
તે સમય સાંજે 5 વાગે રજૂ થતુ હતુ બજેટ
આઝાદી બાદ દેશનું પહેલુ બજેટ તત્કાલીન નાણાં મંત્રી આર.કે. શાનમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યું હતુ. આ બજેટ લગભગ સાડા 7 મહિના માટે 15 ઓગસ્ટ, 1947થી 31 માર્ચ, 1948 સુધી રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં રેવન્યુ વધારવાનો લક્ષ્ય 171.85 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. રાજકોષીય ખાતનું લક્ષ્ય ત્યારે 24.59 કરોડ રૂપિયા હતુ.
ભારત-પાક. નું એક જ ચલણ હતુ
આ બજેટમાં ભારત અને પાકિસ્તાન સપ્ટેમ્બર 1948 સુધી એક જ ચલણનો ઉપયોગ કરશે તેવી સંમતિ પણ હતી. પ્રથમ બજેટ રજૂ કરતા શેટ્ટીએ કહ્યું હતુ કે હું આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરુ છુ. આ ઐતિહાસિક ઘટના છે અને મને ખુશી છે કે આ બજેટને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે. સન્માનની સાથે જ મને આ જવાબદારીનો પણ અહેસાસ છે જે દેશના નાણામંત્રીની જવાબદારી મળી છે.
તે સમય સાંજે 5 વાગે રજૂ થતુ હતુ બજેટ
પ્રથમ બજેટ સાંજે 5 વાગે રજૂ થયુ હતુ. આ પરંપરા 1999 સુધી ચાલુ રહી, જ્યારે ફેબ્રુઆરીના છેલ્લા કાર્યદિવસોની સાંજે બજેટ રહેતુ હતુ. બ્રિટિશ કાળથી ચાલી આવતી આ પરંપરા 2001માં ટૂટેલી જ્યારે તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગે બજેટ રજૂ કર્યું. જોકે 2017થી ફેબ્રુઆરીના છેલ્લા વર્કિંગ ડેના કારણે પહેલા વર્કિંગ ડે પર જ બજેટ રજૂ કરવામાં આવે છે