કેવડિયામાં 14મી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ દરમિયાન શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કોવિડ-19 મોત સંબંધિત WHOનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કેવડિયા ખાતે આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સ
WHOના રિપોર્ટ અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરાઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન
કેવડિયામાં 14મી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ દરમિયાન શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કોવિડ-19 મોત સંબંધિત WHOનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોએ આ પ્રકારની જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદમાં રાજ્યોના લગભગ 20 સ્વાસ્થ્ય મંત્રી સામેલ હતા. તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ગણતિય મોડલ અનુમાનો પર એક પ્રસ્તાવ પાસ કર્યો છે. કારણ કે, WHOના ગણિતીય મોડલથી નિરાશ અને વ્યથિત છે. સાથે જ કહ્યું કે, મોડલ ખોટુ છે અને ભારત માટે ધારણાઓ અને અનુમાન અસ્વિકાર્ય છે.
તમામ રાજ્યોએ ભેગા થઈને WHOના આંકડા પર ઠરાવ પસાર કર્યો
WHOએ આપેલા આંકડા પર વાંધો ઉઠાવતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેવડિયામાં મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ અંગે એક ચિંતનશિબિરનું આયોજન કરવામા આવ્યું હતું અને બધા રાજ્યોએ ભેગા થઈને એક ઠરાવ પસાર કર્યો છે કે, આપણે ત્યાં જન્મ અને મૃત્યુનું ફરજિયાત રજીસ્ટ્રેશન થાય છે. આપણે ત્યાં 99.90 ટકા આંકડાઓ રજીસ્ટ્રર્ડ થાય છે. દરેક રાજ્ય પોતાને ત્યાં થયેલા મૃત્યુના આંકડા નોંધે છે. તેથી WHOના આંકડા પર દરેક રાજ્યોના કાઉન્સિલે આ આંકડા પર વાંધો ઉઠાવ્યો છે.
During the 14th Central Council Of Health And Family Welfare Conference (CCHFW) at Kevadia, Gujarat, today under the chairmanship of Union Health Minister Dr. Mansukh Mandaviya, the WHO matter regarding #COVID19 deaths was taken up: Sources (1/3)
આ અગાઉ ગુરૂવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ યા તો કોરોનાથી જીવ ખોયા છે. સાથે જ WHOનું અનુમાન છે કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી 47 લાખ લોકોના મોત થયા છે. તો વળી ભારતે WHO તરફથી પ્રામાણિક આંકડા આપ્યા હોવા છતાં કોરોના વાયરસ મહામારી સંબંધિતત વધારે મૃત્યુદર અનુમાનોને રજૂ કરવા માટે ગણિતીય મોડલના ઉપયોગ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ઉપયોગમાં લેવાયેલા મોડલ અને ડેટા સંગ્રહની કાર્યશૈલી સંદિગ્ધ છે.
WHOના મહાનિર્દેશકના આંકડાને ગણાવ્યા ગંભીર
WHOના રિપોર્ટ અનુસાર, 1.33 કરોડથી વધારે 1.66 કરોડ લોકો, એટલે કે 1.49 કરોડ લોકોના મોત યા તો કોરોના વાયરસ અથવા સ્વાસ્થ્ય સેવા પર પડેલા પ્રભાવના કારણે થયા છે.WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એનમોન ધેબ્રેયિયસે આ આંકડાને ગંભીર ગણાવતા કહ્યું કે, તેનાથી દેશના ભવિષ્યની સ્વાસ્થ્ય ઈમરજન્સી સ્થિતિના નિવારણ માટે પોતાની ક્ષમતાઓમાં વધારે રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, WHO વધારે સારા નિર્ણયો અને ઉત્તમ પરિણામો માટે સારા ડેટા તૈયાર કરવા માટે પોતાની સ્વાસ્થ્ય સૂચના પ્રણાલીને મજબૂત કરવા માટે દિશામાં તમામ દેશો સાથે કામ કરવા માટે તૈયાર છે.
ભારતે વાંધો ઉઠાવ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત WHO તરફથી ગણિતીય મોડલના આધાર પર વધારે મૃત્યુદરના અનુમાન લગાવવા માટે અપનાવેલી કાર્યશૈલી પર સતત વાંધો ઉઠાવતું રહ્યું છે. નિવેદનમાં કહેવાયુ છે કે, આ મોડલની પ્રક્રિયા, કાર્યશૈલી અને પરિણામ પર ભારતનો વાંધો હોવા છતાં પણ WHOએ ભારતની ચિંતાઓને ધ્યાનમાં લીધા વિના વધારે મૃત્યુદરને જાહેર કર્યો છે.