વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની ટેકનીકલ કમિટી કોવૈક્સિનની ઈમરજન્સી ઉપયોગની 24 કલાકની અંદર મંજૂરી આપી શકે છે તેવી અધિકારીએ જાહેરાત કરી છે.
કોવૈક્સિનને લઈને મોટી ખબર
WHO 24 કલાકની અંદર મંજૂરી આપશે
WHOના અધિકારીએ કરી મોટી જાહેરાત
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની ટેકનીકલ કમિટી કોવૈક્સિનની ઈમરજન્સી ઉપયોગની 24 કલાકની અંદર મંજૂરી આપી શકે છે તેવી અધિકારીએ જાહેરાત કરી છે.
24 કલાકમાં મંજૂરી મળી જશે-અધિકારી
વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રવક્તા માર્ગેટ હેરિસે પત્રકારોને જણાવ્યું કે જણાવ્યું કે જો બધુ સમુસુથરુ પાર પડયું તો આગામી 24 કલાકમાં કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે લાખો ભારતીયોએ કોવેક્સિન લીધી છે પરંતુ ડબલ્યુએચઓએ મંજૂરી ન આપી હોવાથી ભારતીયો વિદેશ જઈ શકતા નથી.
કોવેક્સિનને મંજૂરી આપવા આજે ડબલ્યુએચઓની મળી વિશેષ બેઠક
કોવેક્સિન ભારતની સ્વદેશી કોરોનાની વેક્સિન છે અને તે ભારત બાયોટેકની છે. કોવેક્સિનને ઈમરજન્સી મંજૂરી આપવા માટે 26 ઓક્ટોબરે એક વિશેષ બેઠક આયોજન કરવાની છે. આજે વિશ્વ આરોગ્ય યસંગઠન તરફથી કહેવામાં આવ્યું કે કોવેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક સતત ડબલ્યુએચઓને ડેટા સબમિટ કરી રહી છે અને તેના નિષ્ણાંતો આ ડેટાની સમીક્ષા કરીર છે. સંગઠને કહ્યું કે અમે આજે કંપની તરફથી કેટલીક વધારાની જાણકારીની આશા રાખી રહ્યાં છીએ.
ડબ્લ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને ટ્વીટ કર્યું હતું કે, ડબ્લ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં કોવિડ-19 એન્ટિ-રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવાતી રસીરસીને કટોકટીના ઉપયોગ માટે સૂચિબદ્ધ કરવા અંગે વિચારણા કરવા માટે 26 ઓક્ટોબરે ડબ્લ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથનની બેઠક મળશે.
તાજેતરમાં, ભારત બાયોટેકે જણાવ્યું હતું કે તેણે કટોકટીના ઉપયોગના હેતુઓ માટે કોને સૂચિબદ્ધ કરવું તે તમામ રસી ડેટા આપ્યો છે અને ગ્લોબલ હેલ્થ મોનિટરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિસાદની રાહ જોઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક ભારતે તેના દેશની વસ્તીને રસી આપવા માટે તેની નિકાસ સ્થગિત કરી દીધી હતી. ગયા મહિને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ભારત વિદેશમાં રસીનો પુરવઠો પુનઃસ્થાપિત કરશે.