વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી છે તે દુનિયા માટે ટેન્શન વધારનાર છે.
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથનો દાવો
ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી
દુનિયા માટે ટેન્શન વધારનાર છે
કોવિડ-19 નો સ્ટ્રેન ઘણો ચેપ ફેલાવી રહ્યો છે
સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતમાં ફેલાઈ રહેલો કોવિડ-19 નો સ્ટ્રેન ઘણો ચેપ ફેલાવી રહ્યો છે. આ સ્ટ્રેન ચિંતા ઊભી કરનાર છે. તેમણે જણાવ્યું કે મહામારીનું આજે જે ફિચર આપણે ભારતમાં જોઈએ છીએ તે સંકેત આપી રહ્યો છે કે તે એક અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વેરિયન્ટ છે. ભારતમાં ગતા વર્ષના ઓક્ટોબરમાં B.1.617 જોવા મળ્યો હતો.
ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ ડો.રેડ્રોકો એચ ઓફ્રિન કોવિડ નિયમોની અવગણનાને વધારે દોષી માને છે. ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી છે તેવું તેમનું કહેવું છે.
કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે
યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન હકે જણાવ્યું કે કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે. અમે બાળકો,ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કોરોનાની અસર જોઈ શકીએ છીએ. ભારતની શિક્ષણ વ્યવસ્થા તો પહેલેથી ખરાબ છે.
ભારતનું નવું વેરિયન્ટ અત્યંત ચેપીલું અને ખતરનાક
એક ઈન્ટરવ્યુમાં બાયોલોજિસ્ટ ટોમ વેંસલિયર્સે જણાવ્યું કે ભારતનું નવું વેરિયન્ટ અત્યંત ચેપીલું અને ખતરનાક છે. ભારતનું આ સ્વરુપ ઝડપથી ફેલાય છે. આ સ્વરુપ બ્રિટનના સ્વરુપ જેવું જ છે. રાજકીય પાર્ટીઓની રેલીઓ, મોટી ભીડ તથા કોવિડ નિયમોની અવગણનાને કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ છે.
તેમણે કહ્યું કે શિયાળામાં ભારતની સ્થિતિ કાબૂમાં હતી. કોરોના સંક્રમિતોની સંખ્યા સ્થિર હતી. ત્યાં સુધી કે કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો હતો. પરંતુ ફેબ્રુઆરીના મધ્યમથી માર્ચની શરુઆત સુધી સ્થિતિ બદલાઈ ગઈ. કોરોનાએ અચાનક વિસ્ફોટ કર્યો. હવે ભારત કોરોનાની એક ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે.