પોપ્યુલર ટીવી શો તારક મહેતા...ના મેઇન કેરેક્ટર જેઠાલાલની દીકરી નિયતિ જોશી 11 તારીખે લગ્ન કરવા જઇ રહી છે. ત્યારે દરેકને તે જાણવાની ઇચ્છા હશે કે નિયતિ કોની સાથે લગ્ન કરી રહી છે.
દિલીપ જોષીની દીકરીના લગ્ન
તાજ હોટલમાં કરવામાં આવશે લગ્ન
યશોવર્ધન મિશ્રા સાથે નિયતિના વિવાહ
કોણ છે નિયતિનો થનારો પતિ
નિયતિ જોષીના લગ્ન જેની સાથે થવાના છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહી.
કોણ છે યશોવર્ધન
યશોવર્ધન મિશ્રા લિરિસિસ્ટ અશોક મિશ્રાનો દિકરો છે. જેમણે 2008માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ વેલકમ ટુ સજ્જનપુરમાં ગીતો લખ્યા હતા. તે સિવાય પણ બોલીવૂડમાં તેમણે ઘણું કામ કર્યું છે.
દિલીપ જોશીના ઘરે પ્રસંગ
તારક મહેતા...ના ફેન્સ માટે એક ખુશખબર છે. તે આ મહિને જ પોતાની દીકરી નિયતી જોશીના લગ્ન કરવાના છે. એક રિપોર્ટ અનુસાર દિલીપ જોશી 11 ડિસેમ્બરે પોતાની દીકરીના લગ્ન કરાવવા જઇ રહ્યાં છે અને સસરા બનવા જઇ રહ્યાં છે. જેઠાલાલનો જમાઇ NRI છે.
મુંબઇની તાજ હોટલમાં થશે લગ્ન
રિપોર્ટ અનુસાર, દિલીપ જોશીની દીકરીના લગ્ન બોલીવૂડની કોઇ લગ્ન સેરેમની કરતા ઓછી નથી. લગ્નની બધી તૈયારીઓ મુંબઇની તાજ હોટલમાં કરવામાં આવી છે. જેઠાલાલ પોતે પણ પોતાની દીકરીના લગ્નની તૈયારીઓમાં લાગેલા છે. દરેકને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે.
દયાબહેન નહી થાય લગ્નમાં સામેલ
જેઠાલાલે દયાબેનને આમંત્રણ પાઠવ્યુ છે પરંતુ તે લગ્નમાં સામેલ નહી થાય. તેમણે આમંત્રણ સ્વિકાર કર્યુ પરંતુ વિનમ્રતાથી લગ્નમાં આવવા માટે મનાઇ ફરમાવી છે. તે સિવાય TMKOCના દરેક મેમ્બર લગ્નમાં હાજરી આપશે.