છેલ્લા થોડા સમયથી માયાવતી સાથેના ફોટામાં એક યુવાન જોવા મળે છે. જેના પર સમગ્ર મીડિયાની નજર છે. રાજકીય રીતે એવી પણ અફવાઓ છે કે આ વ્યક્તિ બીએસપી સુપ્રિમોનો ઉત્તરાધિકારી પણ હોઈ શકે છે. અખિલેશ યાદવ જ્યારે માયાવતીને જન્મદિવસ પર અભિનંદન પાઠવવા આવ્યા ત્યારે આ વ્યક્તિ માયાવતી સાથે જોવા મળ્યો હતો. તો તેજસ્વી યાદવ પરીવાર રવીવારે માયાવતીને મળવા આવ્યા ત્યારે પણ આ વ્યક્તિ માયાવતી જોડે જોવા મળ્યો હતો.
અખીલેશ યાદવ અને તેજસ્વી યાદવ બંનેની મુલાકાત કરતાં માયાવતી સાથે જોવા મળતા આ 24 વર્ષના આકાશ આનંદની ચર્ચા વધારે જોવા મળી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે માયાવતી અને આકાશનો સંબંધ શું છે. તમને જણાવીએ કે આકાશ માયાવતીના ભાઇ અને બીએસપીના પૂર્વ ઉપાધ્યક્ષ આનંદ સિંહનો પુત્ર છે.
આકાશ પાછલા ઘણા સમયથી માયાવતી સાથે જોવા મળે છે. જેથી અટકળો છે કે આકાશ બહુ જલ્દી કોઇ રાજકીય જવાબદારી સંભાળી શકે છે. લંડનથી એમ.બી.એ કરીને આવેલા આકાશને ઘણા લોકો બીએસપી પ્રમુખનો ઉત્તરાધિકારી માની રહ્યા છે. જોકે પાર્ટીના વરિષ્ટ નેતા આ બાબતે ના પાડી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાર્ટી અધ્યક્ષની ખુરસી કોઇપણ પરીવારના સભ્યને નહીં મળે. 2017માં કૌટુંબિકવિવાદ બાદ આનંદ સિંહને પક્ષના વાઇસ પ્રેસિડેન્ટના પદ પરથી હટાવી દેવાયા હતા.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે રાજકારણમાં આકાશને રસ નથી. તો સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આકાશ પોતાના પિતાનો બિઝનેસ સંભાળે છે. તે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી લખનઉ રોકાયો હતો કારણ કે માયાવતીનો જન્મ દિવસ હતો. જેથી તે માયાવતી સાથે જોવા મળ્યો હતો. પાર્ટી અધ્યક્ષ સાથે જોવા મળવું રાજકીય પ્લાન નહીં પણ પારીવારીક પ્રસંગ હતો. આ પહેલાં આકાશ માયાવતી સાથે ગયા વર્ષે એપ્રિલમાં જોવા મળ્યો હતો.
તમને જણાવીએ કે પાછલા ઘણા સમયથી માયાવતી સાથે આકાશ જોવા મળતા માનવામાં આવી રહ્યું છે કે આકાશને રાજનીતિમાં લાવવા માટે માયાવતીનો માસ્ટર પ્લાન છે. જોકે તેમણે પાર્ટી પદ કોઇ પરીવારના વ્યક્તિને આપવાની ના પાડી હતી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 2019ની ચૂંટણીમાં માયાવતી આકાશને કોઇ મોટી રાજકીય જવાબદારી આપી શકે છે.