વડોદરાના સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ઉતરાધિકારી માટે સંતો અને હરિભક્તોના બે જૂથ આમને-સામને છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલો આંતરકલહ.
સોખડામાં ગાદી વિવાદથી કચવાટ
હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કોણ ?
ગુરૂગાદી માટે સંતો-હરિભક્તો ચઢ્યા રમણે
મંદિરનું નિવેદન
સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામીની ગાદીના વિવાદનાં મામલે સોખડા મંદિરે બેઠકની બાબતને રદિયો આપતા કહ્યું છે કે, હરિપ્રસાદ સ્વામીના દ્વિમાસિક સ્મૃતિદિન નિમિતે હરિભક્તો એકત્ર થયા હતા અને હરિપ્રસાદ સ્વામીના અનુગામી નક્કી કરવા કોઈ બેઠક ન થી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદન આપતા જણાયું કે, કેટલાક ભક્તોએ ગાદીપતિ બાબતે પોતાની વાત રજૂ કરી હતી.પણ વિવાદની વાતમાં કોઈ તથ્ય નથી.
સામાન્ય રીતે પૂંજીપતિઓના પરિવારમાં સંતાનો વચ્ચે સંપતિનો વિખવાદ થાય તે બાબતો સામાન્ય છે ત્યારે,ધર્મ સંસ્થાનોમાં ગુરૂગાદી માટે કલહ થાય તે સ્વાભાવિક છે. મનુષ્ય સંસારી છે પણ આ સાધુતા છે.ઈશ્વરની સૌથી નજીક પોતાની સાધુતાના કારણે રહેતા હોવાની દીવ્યાનુભૂતિ સામાન્ય હરિભક્તોને જરૂર થાય.પણ, હરિભક્તો ગુરૂગાદી માટે રમણે ચઢે,ત્યારે કહેવાય કે આના કરતા તો સંસારી સારા.વડોદરાના સોખડા સ્વામીનારાયણ મંદિરમાં હવે ગાદી-કલહ સામે આવ્યો છે.
સંતો-હરિભક્તો વચ્ચે વિવાદ
વડોદરાના સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ઉતરાધિકારી માટે સંતો અને હરિભક્તોના બે જૂથ આમને-સામને છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આંતરકલહમાં બંને જૂથ એક-બીજાનો વિરોધ કરી ગાદી હાંસલ કરવા પ્રયત્નશીલ બન્યા છે. એક તરફ પ્રેમસ્વરૂપદાસ તો બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે. પ્રબોધ સ્વામીને ઉત્તરાધિકારી તરીકે નિમણૂક આપવા હરિભક્તોએ રીતસર હોબાળો મચાવ્યો. પૂર્વે, હરિપ્રસાદ સ્વામીએ પ્રેમસ્વરૂપદાસને યોગી ડિવાઈન સંસ્થાની જવાબદારી સોંપવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ત્યાગ વલ્લભ સ્વામી મદદગાર રહેશે તેવી બાબતનો વિડીયો પણ વાયરલ થયો છે. શનિવારે મોડી રાત સુધી હરિભક્તોએ ધૂન કાર્ક્રમ યોજી વિરોધ નોંધાવતા સભા રદ કરવી પડી હતી.
રવિવારીય બેઠક મોકૂફ
વડોદરાના હરિધામ સોખડાની મળનારી આજની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.શનિવારના વિવાદ બાદ હરિભક્તોની આજે બ્તઃક યોજાવાની હતી પરંતુ હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે હવે કોણનો વિવાદ હજુ યથાતથ છે.બેઠક મુલતવી રહ્યાની જાણ હરિભક્તોને મેસેજથી કરી દેવામાં આવી છે.ધર્મ સંસ્થામાં આ રીતે ગાડી માટેનો કલહ સામે આવતા લાખો હરિભક્તોમાં ઉચાટ ફેલાયો છે કે હવે શું? અને હવે કોણ ?
ઉત્તરાધિકારી કોણ ?
ઉલ્લેખનીય છે કે, નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ચાલેલી ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલ અગ્રેસર છે. તો ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. આ સાથે જ એક તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે.