દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રોહિત શર્મા જ કેપ્ટન હશે. તેની સત્તાવાર જાહેરાત પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ અનુસાર રોહિતને વનડેની કેપ્ટનશીપ સોંપવાની તૈયારી પણ ચાલી રહી છે. ચાલુ મહિનામાં વનડે સીરિઝ માટે ભારતીય દક્ષિણ આફ્રિકા જવા રવાના થવાની છે જ્યાં ટીમ 3 ટેસ્ટ, 3 વનડે મેચ રમશે.
રોહિતે ટી-20માં ન્યૂઝીલેન્ડ સામે કેપ્ટનશીપ કરી ચૂક્યો છે
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 હોમ સિરીઝની કેપ્ટન્સી કરી છે. ભારતે 3-0થી શ્રેણી જીતી લીધી હતી. કોચ તરીકે કોચ રાહુલ દ્રવિડ માટે પણ આ શ્રેણી પ્રથમ શ્રેણી હતી.
વિરાટે ટી-20ની કેપ્ટન્સી છોડી હતી
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ બાદ ટી-20ની કેપ્ટન્સી છોડ્યા બાદ રોહિતને કેપ્ટન્સી આપવામાં આવી છે. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે રોહિત શર્માને વન ડે ટીમની કેપ્ટન્સી પણ આપવામાં આવી શકે છે. જ્યારે વિરાટ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરશે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિતની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે રોહિત ટી-20 અને વન ડેનો સારો કેપ્ટન છે.
26 ડિસેમ્બરે ભારત સાઉથ આફ્રિકામાં જઈને પહેલી ટેસ્ટ રમશે
ભારત સાઉથ આફ્રિકામાં જઈને પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરે રમશે. બીજી ટેસ્ટ 30 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી અને ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે રમાશે. પ્રથમ વન ડે આવતા વર્ષે ૧૯ જાન્યુઆરીએ રમાશે. બીજી વન ડે ૨૧ જાન્યુઆરીએ અને ત્રીજી ૨૩ જાન્યુઆરીએ છે.