બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ? સૂર્યકુમારની ચર્ચા પર પૂર્ણ વિરામ, આવ્યો નવો વળાંક
Last Updated: 04:59 PM, 18 July 2024
ભારતની ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાશે જવાની છે. ત્યાં T-20 અને વન ડે એમ બંને સીરીઝ રમાશે. 27 તારીખથી સીરીઝની શરૂઆત થઈ જવાની છે પરંતુ ટીમ ઈંડિયાનું સિલેક્શન હજુ સુધી નથી થયું. આજ સુધીમાં સિલેક્શન થઈ જાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ભરતની ટીમની જાહેરાત થાય એ પહેલાં નવા કોચ ગૌતમ ગંભીરને લઇ ચર્ચાઓ ચાલી હતી. જેમાં ગંભીર T-20 સીરીઝના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને નહીં પણ સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવે તેવું ઈચ્છે છે. આ માટે તેને BCCI પાસે માંગ પણ કરી હતી. પરંતુ ચર્ચામાં નવો વળાંક આવ્યો છે.
🚨🔴 Gautam Gambhir has made it clear that he wants Suryakumar Yadav as the new T20I captain. pic.twitter.com/asT6aV7lx6
— Vishal. (@SPORTYVISHAL) July 16, 2024
ADVERTISEMENT
BCCIના સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સૂર્યકુમારને કેપ્ટન બનાવવાની માંગ ગંભીરે ક્યારેય નથી કરી. પરંતુ તેને BCCIને એમ જરૂરથી કહ્યું હતું કે, T-20માં તેને એવો કેપ્ટન જોઈએ છે જેનો કાર્યભાળ તેના માટે બાધા ન બનવો જોઈએ. પરંતુ સામે BCCI હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના પક્ષમાં હતી. કારણ કે હાર્દિક 2024ના T-20ના વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન હતો. આ વર્લ્ડ કપ ભારત જીત્યું એમાં તેને પણ મહત્વનો રોલ ભજવ્યો છે. આથી કેપ્ટનનો તાઝ હાર્દિકને આપવા BCCIની ઈચ્છા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ હાર્દિક પંડ્યા માટે ઇંજરી ચિંતાનો વિષય બની હતી. 2023ના વર્લ્ડ કપમાં હાર્દિકને ઇજા થતાં તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેને 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. IPLમાં તેને કમબેક કર્યું હતું પણ તેમાં તેનું ફોર્મ નિરાશાજનક રહ્યું હતું.
શ્રીલંકા સામે હાર્દિક પંડ્યા, સૂર્યકૂમાર યાદવ જેવા પ્લેયરનું કમબેક થવાનું છે. આ બન્ને પ્લેયર કેપ્ટનશીપના દાવેદાર છે. જો રોહિત શર્મા ODI સીરીઝમાંથી પણ બહાર રહેશે તો BCCIએ આ બંનેમાંથી એકને કે પછી કેએલ રાહુલને ODIનો કેપ્ટન બનાવવો પડશે. આ બન્ને સીરીઝ માટે BCCI કોને કેપ્ટન બનાવે છે તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.