2002ના નરોડા પાટિયા કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં બાબુ બજરંગી સહિત ત્રણ આરોપીને ષડયંત્રકારી માનવામાં આવ્યા છે. જયારે ભાજપના નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. માયા કોડનાનીને તમામ કેષમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. તો જાણો કોણ છે માયાબેન કોડનાની.
બનાસકાંઠાના દેસામાં ગુજરાતી માધ્યમિક વિધાલયમાં શિક્ષા લીધી.
સ્કૂલ દરમિયાન રાષ્ટ્ર સેવા સમિતિમાં જોડાયા.
મહિલાઓ માટે RSSમાં સમાન સંગઠન તૈયાર કર્યુ.
વડોદરા મેડિકલ કોલેજમાંથી MBBS પાસ કર્યુ.
ગાયનોકોલોજી અને ઓસ્ટેટટ્રિસમાં ડિપ્લોમાં કર્યુ.
કુબેરનગરમાં શિવમ માતૃત્વ હોસ્પિટલની સ્થાપના કરી.
વર્ષ 1995માં રાજકરણમાં આવ્યા.
ભાજપ તરફથી નરોડા વિસ્તારમાં ધારાસભ્ય બન્યા.
1998થી 3 ટર્મ સુધી નરોડાની ધારાસભ્ય રહી.
ડિસેમ્બર 2002માં ગુજરાત હિંસા બાદ પણ ચૂંટણીમાં મળી જીત.
2002માં 1 લાખ 10 હજાર મતોથી ચૂંટણીમાં મળી જીત.
મોદીની સરકારમાં મહિલા અને બાળવિકાસ મંત્રી બન્યા.
2009માં મંત્રી પદથી રાજીનામું આપ્યુ.
2012માં નરોડા પાટીયા કેસમાં આજીવન કેદની સજા મળી.
ગુજરાત સરકારે 17 એપ્રિલ 2013માં હાઇકોર્ટમાં અપીલ કરી.
માયાબેન કોડનાનીને મોતની સજા મળે તે માટે કોર્ટમાં અપીલ.
14 મે 2013ના રોજ સરકારે મોતની સજાનો નિર્ણય પરત લીધો.
16 નવેમ્બર 2013ના રોજ સારવાર માટે 3 મહિનાના જામીન.
30 જુલાઈ 2014ના રોજ બીમાર હોવાના કારણે જામીન મળ્યા.