કોણ છે સારા પીએમ નરેન્દ્ર મોદી કે અટલ બિહારી વાજપેયી
ખડગેએ હસીને ટાળી દીધો જવાબ
મનમોહનસિંહ અને નરસિંહા રાવમાં કોણ હતા સારા પ્રધાનમંત્રી
ખડગેએ આપ્યો મજેદાર જવાબ
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા પાર્ટીના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેને જ્યારે સારા પીએમ તરીકે નરેન્દ્ર મોદી કે અટલ બિહારી વાજપેયીની પસંદગી કરવાનું જણાવાયું ત્યારે તેઓ મોન રહી ગયા હતા એટલે કે તેઓ જવાબ આપી શક્યા નહોતા. પરંતુ કોંગ્રેસના મનમોહનસિંહ અને નરસિંહા રાવમાં કોણ સારા પ્રધાનમંત્રી તેવા સવાલનો ખડગેએ મજેદાર જવાબ આપ્યો કે તેમણે કહ્યું કે આ તો પેલી વાત જેવું થયું કે હું મારી જમણી આંખને વધારે પ્રેમ કરુ છું કે ડાબી આંખને. તેમના કહેવાનો મતલબ બન્ને પીએમ સારા છે અને એકબીજાની તુલના ન થઈ શકે.
થરુર 'મારી' વિશે અને હું 'અમે' વિશે વાત કરુ છું- ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે થરૂર અને તેમની વચ્ચે એક જ અંતર છે કે તેઓ 'મારી' વિશે વાત કરે છે અને હું 'અમે' વિશે વાત કરું છું. "દરેકની પોતાની વિચારધારા હોય છે અને હું કોઈના પર વ્યક્તિગત રીતે ટિપ્પણી કરવા માંગતો નથી.
મલ્લિકાર્જુન ખડગેકોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે પાર્ટીના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યાં છે તેમની સામે શશી થરુર છે.