કોરોના વેક્સિન ન લેવા મામલે નીતિન પટેલે મોટું નિવેદન, નીતિન પટેલે જણાવ્યું કે, કેટલાક સમાજના કેટલાક નાગરિકો અંધશ્રદ્ધાના કારણે વેક્સિન લેતા નથી
વેક્સિનેશનના ઓછા દર માટે અંધશ્રદ્ધા જવાબદાર
ડરના કારણે વેક્સિન નથી લઈ રહ્યા લોકો
અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી
રાજ્યમાં કોરોનાની વેક્સિન મામલે ચાલી રહેલી અંધશ્રદ્ધા અને કેટલાક ગ્રામજનો દ્વારા કોરોના વેક્સિન ન લેવા મામલે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, કેટલાક સમાજના કેટલાક નાગરિકો અંધશ્રદ્ધાના કારણે વેક્સીન લેતા નથી. બાધા રાખો પૂજા કરો તેવી અફવા ફેલાવાય છે અને અંધશ્રદ્ધાના કારણે નાગરીકો વેક્સિન લેવામાં ધ્યાન આપતા નથી. વેક્સીન લેવી જરૂરી છે. આ અંગે અમે સતત પ્રચાર કરીએ છે. લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેવો પ્રયત્ન શરૂ છે. અને જો કોઈ જાહેરમાં અફવા ફેલાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.