પાકિસ્તાનમાં નવી સરકારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિપક્ષે શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી તરીકે પોતાના ઉમેદવાર નોમિનેટ કર્યા છે.
પાકિસ્તાનમાં નવા PMની તાજપોશીની તૈયારીઓ
શાહબાઝ શરીફ બની શકે છે પાકિસ્તાનના PM
પૂર્વ PM નવાઝ શરીફના નાના ભાઈ છે શાહબાઝ
પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમનો નિર્ણય સોમવારે થવાનો છે. ઇમરાન ખાન સત્તામાંથી બહાર થયા બાદ શરીફે ટ્વીટ દ્વારા મીડિયા, વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. રવિવારે ઇમરાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ ગયો હતો. તેમની વિરુદ્ધ 174 સાંસદોએ મત આપ્યો હતો.
શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કરાયા જાહેર
રવિવારે વિપક્ષી દળોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાહબાઝ શરીફને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર નોમિનેટ કર્યા છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે. રવિવારે તેમણે ટ્વીટ કરી મીડિયા, નાગરિક સમાજ, વકીલો, મારા કાયદ નવાઝ શરીફ, આસિફ ઝરદારી, મૌલાના ફઝલ-ઉર-રહમાન, બિલાવલ ભુટ્ટો, ખાલિદ મકબૂલ, ખાલિદ મગસી, મોસિન ડાવર, અલી વઝીર, આમિર હૈદર હોતી અને તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો બંધારણ માટે ઉભા રહેવા માટે આભાર માન્યો હતો.
પ્રસ્તાવથી બચવાના ઈમરાન ખાને કર્યા મરણિયા પ્રયાસ
અવિશ્વાસ પ્રસ્તાવથી બચવા માટે ઘણા પ્રયાસો બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં મધ્યરાત્રિમાં મતદાન થયું હતું. આ દરમિયાન 342 સભ્યોવાલી એસેમ્બલીમાં 174 સાંસદોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનમાં કાર્યકાળ પૂરો કર્યા વગર સત્તા ગુમાવવી નવી વાત નથી, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ છોડનાર ઇમરાન પ્રથમ પ્રધાનમંત્રી છે.
કોણ છે શાહબાઝ શરીફ ?
શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે
શાહબાઝનો જન્મ લાહોરના એક ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો
શાહબાઝે લાહોરમાંથી અભ્યાસ પણ પૂરો કર્યો
અભ્યાસ પૂર્ણ કરી શાહબાઝ પારિવારિક વ્યવસાયમાં જોડાયા
પાકિસ્તાની એક સ્ટીલ કંપનીના માલિક પણ છે
શાહબાઝે પોતાના રાજકારણની શરૂઆત પંજાબ પ્રાંતથી કરી હતી
શાહબાઝ શરીફ 1988માં પંજાબ વિધાનસભામાં ચૂંટાયા હતા
1990માં નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા
3 વર્ષ પછી શાહબાઝ ફરી પંજાબ વિધાનસભામાં ચૂંટાયા
હાલ શાહબાઝ શરીફ નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે
1999માં લશ્કરી બળવા પછી શાહબાઝ સાઉદી અરેબિયા ચાલ્યા ગયા હતા
શાહબાઝ શરીફે 2017માં રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો
આ જ વર્ષે નવાઝ શરીફ પનામા પેપર્સ કેસમાં દોષી સાબિત થયા હતા