સૌથી લાંબા સમય સુધી હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર રહેલા આતંકવાદી રિયાઝ નાયકુ અને તેના એક સાથીને સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. બુધવારે, રિયાઝ નાયકુના પૈતૃક ગામ પુલવામા જિલ્લાના બેગપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં રિયાઝ નાયકુ માર્યો ગયો છે. રિયાઝ નાયકુ પર 12 લાખનું ઇનામ હતુ.
નાયકુ ગણિત શિક્ષક હતો બુરહાન વાનીના મોત બાદ તે ઝડપથી ઉભર્યો
તે ભાગવામાં અને છુપાવામાં કુશળ હતો,
હાલમાં તેણે કાશ્મીરના 12 યુવાનોની આંતંકી ગ્રુપમાં ભરતી કરી છે
રિયાઝ નાયકુ ખીણમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. 35 વર્ષીય નાયકુ ગણિતનો શિક્ષક રહ્યો છે. રિયાઝ હિઝબુલ મુજાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીના મોત બાદ હિઝબુલ મુજાહિદ્દીનમાં ઝડપથી ઉભરી આવ્યો હતો. આ બાદ વધુ એક આતંકી સદ્દામ પોદ્દારના મોત બાદ તેમને સંગઠનનો કમાન્ડર બનાવવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
બુરહાનની જેમ નાયકુ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. તે સેનાની હિટલિસ્ટમાં પ્રથમ સ્થાને પહોંચ્યો. નાયકુ કાશ્મીરી આતંકવાદનો ભારતીય ચહેરો હતો.
નાયકુ દોડવામાં અને છુપાવવા ખૂબ કુશળ હતો. ઘણા એન્કાઉન્ટરમાં ખૂબ નજીક હોવા છતાં તે હંમેશાથી છટકી જવામાં સફળ રહ્યો. પરંતુ મંગળવારે રાત્રે તેને ખૂબ જ સચોટ 'ગુપ્તચર માહિતી' પર ઘેરવામાં આવ્યો હતો. સંભવિત ટનલ અથવા ભૂગર્ભ સ્થાનો વિશે માહિતી પ્રાપ્ત કર્યા પછી ઘણા વિસ્તારો, રેલ્વે પાટા ખોદવામાં આવ્યાં હતાં. મંગળવારે રાત્રે કોર્ડન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે સવાર સુધી ચાલુ રહ્યું હતું. સવારે નવ વાગ્યે આતંકીઓનો સામનો કરવો પડ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.
માતા બીમાર થયા પછી નાયકૂ તેના પૈતૃક ગામમાં આવ્યો હોવાના અહેવાલ છે. નાયકુ હજી જીવતો હતો તેનું કારણ તે હતું કે તેને તેના ખૂબ નજીકના જૂથ સિવાય બીજા કોઈ પર વિશ્વાસ નહોતો. સુરક્ષા દળોએ 2018-2019માં તે ઘરેવા માટે સખત મહેનત કરી હતી. પરંતુ તે સુરક્ષા દળો સાથે સંતાકુકડીની રમત રમતો રહ્યો હતો.
સુરક્ષા દળોએ તેના ઘણા નજીકના પરિચિતોને શોધી કાઢ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે એકવાર તેણે તેના એક પ્રિય વ્યક્તિને સંદેશ મોકલ્યો. જેમાં તેણે લખ્યું કે તુ મને ચિનારના વૃક્ષની યાદ અપાવે છે. પરંતુ જ્યારે પણ તેને ફસાવવા ચક્રવ્યૂહ ગોઠવ્યું તે રફુ ચક્કર થઈ જતો હતો.
બીજી વખત આવું બન્યું જ્યારે તેણે એક ઉચ્ચ અધિકારીની છેતરી લીધા. તેણે કહ્યું હતું કે તે 2018 માં આત્મસમર્પણ કરશે. પરંતુ તેણે તે કર્યું નહીં. આ જાણી જોઈને કરેલી ઠગાઈ હતી.
જો કે નાઇકુની હત્યા હિઝબુલ મુજાહિદ્દીન માટે મોટો આંચકો છે. પરંતુ સુરક્ષા દળોના ખાતામાં મોટી સફળતા છે. નાયકુએ આ વર્ષે ખીણમાં ડઝન એક યુવાનોની ભરતી કરી. કાશ્મીર ખીણમાં, તેણે હિઝબુલમાં ઓછામાં ઓછા એક ડઝન યુવાનોને સમાવેશ કર્યો હતો.