બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં નર્મદાની કેનાલમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે. છતાં સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. ત્યારે વાવની ચોથારસેનડા ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડયું હોવાનું સામે આવ્યું છે.
ટડાવ ગામની સીમમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને જુવારના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું. ગાબડું પડવાના લીધે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. હલકી ગુણવતાની કામગીરીના લીધે ગાબડા પડી રહ્યાનો આક્ષેપ થયો છે.
બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદે તબાહી મચાવી હતી જ્યારે વર્ષે જીલ્લામાં દુકાળ જેવુ છે. જ્યારે વરંવાર આમ કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. વરંવાર ગાબડાં પડવા છતાં તંત્ર દ્વારા કોઇ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા.