પ્રિયંકા ચોપરાએ બોલીવુડ છોડીને હોલીવુડમાં શા માટે કામ કરી રહ્યા છે, તેનું કારણ જણાવ્યું છે. પ્રિયંકાના આ નિવેદન બાદ કંગના રનૌતે રિએક્શન આપ્યું છે.
પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો.
બોલીવુડમાં કામ આપવામાં આવતું નહોતું.
કંગના રનૌતે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન.
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં તેઓ બોલીવુડ છોડીને હોલીવુડમાં શા માટે કામ કરી રહ્યા છે, તેનું કારણ જણાવ્યું છે કે, બોલીવુડમાં તેમને કિનારા પર લાવી દેવામાં આવ્યા હતા. કોઈપણ તેમને કામ આપી રહ્યું નહોતું. પ્રિયંકાના આ નિવેદન બાદ કંગના રનૌતે રિએક્શન આપ્યું છે.
કંગના રનૌતે પ્રિયંકાના નિવેદન બાદ બોલીવુડના માફિયા સામે મોરચો ખોલ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, કરણ જોહરના કારણે પ્રિયંકા ચોપરા અમેરિકામાં જઈને કામ કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાનની મિત્રતાના કારણે તેમનો કરણ જોહર સાથે ઝઘડો થઈ ગયો હતો.
પ્રિયંકાને ભારત છોડવા માટે મજબૂર કરવામાં આવી
ટ્વિટર પર એક ન્યુઝ આર્ટીકલ શેર કરીને તેમણે જણાવ્યું કે, બોલીવુડમાં પ્રિયંકા ચોપરા સામે ગેંગ બનાવી લેવામાં આવી હતી અને પરેશાન કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી દેવામાં આવી. સેલ્ફ મેડ વુમનને ભારત છોડવા માટે મજબૂર કરી. તમામ લોકોને ખબર છે કે, કરણ જોહરે પ્રિયંકા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
પ્રિયંકા ચોપરા જણાવે છે કે, મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી. કોઈપણ મને કાસ્ટ કરવા માટે તૈયાર નહોતું. મને આ બધી ગેમ આવડતી નથી અને હું રાજનીતિ (ઈન્ડસ્ટ્રી)થી ખૂબ જ થાકી ગઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે મારે થોડો બ્રેક જોઈએ છે.
શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનના સમયનો ઉલ્લેખ
કંગના રનૌત એક ટ્વિટમાં જણાવ્યું છે કે, જે લોકો અન્ય લોકોના કારણે જેલસ થઈ રહ્યા છે, તે ટોક્સિક વ્યક્તિને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાતાવરણ ખરાબ કરવા માટે જવાબદાર ઠેરવવો જોઈએ. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય પણ બહારના લોકોનો વિરોધ કરવામાં આવ્યો નથી.
This obnoxious, jealous, mean and toxic person should be held accountable for ruining the culture and environment of film industry which was never hostile to outsiders in the days of AB or SRK.His gang and mafia PR should be raided and held accountable for harassing outsiders.