વાઈબ્રન્ટથી લઈ કોરોના કાળમાં કરેલી કામગીરી પંકજ કુમારને ફળી, ગૃહ વિભાગના અગ્ર સચિવથી સીધા જ મુખ્ય સચિવ બન્યા
ગુજરાતને મળ્યા નવા મુખ્ય સચિવ
મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિયુક્તિ
રેવન્યુ અને ગૃહ વિભાગમાં સારી કામગીરી કરી
31 ઓગસ્ટના રોજ હાલના CS અનિલ મુકીમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તેમને ત્રીજી વખત એક્સ્ટેન્શન મળે તેવી શક્યતા નહીંવત્ હતી આવામાં રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મુખ્યત્વે બે નામોની ચર્ચા થઇ રહી હતી જેમાં પંકજ કુમારના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ અગાઉ 26 તારીખ એટલે ગઈકાલે જ VTV Gujaratiએ આ સમાચારના અહેવાલ આપી દીધા હતા અને ફરી એક વાર VTV Gujaratiનાં અહેવાલ પર મહોર વાગી છે. 1986ની બેચના IAS પંકજ કુમારની મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરી દેવામાં આવી છે આગામી 1 સપ્ટેમ્બરથી તે મુખ્ય સચિવનો પદભાર સંભાળી લેશે.
આ ઓળખના કારણે પંકજકુમાર મુખ્ય સચિવ બન્યા...
1 કોરોના કાળમાં પંકજ કુમારની સરાહનીય કામગીરી
2 નિસર્ગ અને વાયુ વાવાઝોડા સમયે કરેલું જોરદાર આયોજન
5 અભ્યાસમાં B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે
6 સરકારી કામના મેનજન્ટમાં પોતાનો એક્કો સાબિત કરી ચૂક્યા
7 પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી ગણાય છે પંકજ કુમાર
8 પંકજ કુમારના કામની વિજય રૂપાણી પણ કરી ચૂક્યા છે પ્રશંસા
9 સરકાર અને અધિકારીઓમાં નિર્વિવાદિત ઓળખ
10 ગૃહ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે સંભાળી
11 નાણા સચિવ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં નોંધનિય કામગીરી કરી
12 રેવન્યુ, આરોગ્ય, નાણા, ગૃહ જેવા મહત્વના વિભાગના સચિવ તરીકે રહી ચૂક્યા હોવાનો લાભ
13 સૌમ્ય, મૃદુભાષી અને શાંત પ્રકૃતિના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ
VTV ગુજરાતી સાથે પંકજ કુમારની ખાસ વાતચીત
મહત્વનું છે કે VTV ગુજરાતીએ પહેલાથી જ પંકજ કુમારના મુખ્ય સચિવ બનવાના અહેવાલ પ્રસારીત કરી દીધા હતા જેના પર આજે મહોર વાગી ચૂકી છે. જે બાદ પંકજ કુમાર સાથે ગાંધીનગરના સંવાદદાતા રાજેદ્રસિંહ પરમારે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમને તેમના શુભેચ્છકોનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે વિકાસ એક સતત પ્રક્રિયા છે. તેમાં વધારેથી વધારે યોગદાન આપવાની કોશિશ કરવામાં આવશે.
સરકાર, અધિકારીઓ તેમજ નેતાઓમાં પંકજ કુમાર નિર્વિવાદિત ઓળખ ધરાવે છે અને રેવન્યુ, આરોગ્ય, નાણા, ગૃહ મહત્વના વિભાગોમાં કરેલી સરાહનીય કામગીરીના કારણે જ પંકજ કુમાર પર ગુજરાતના મુખ્ય સચિવનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ત્યારે આગામી 31 ઓગસ્ટના રોજ CS અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્ણ થશે અને 1 સપ્ટેમ્બરથી પંકજ કુમારનો CSનો પદભાર સંભાળી લેશે.
કોણ છે પંકજ કુમાર?
પંકજ કુમાર મુળ બિહારના પટણાના છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા હતા .અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું હતું જેંના પસંદગી ઉતારી દેવામાં આવી છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે.પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પ્રભાવિત છે. અને પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ છે.