કાશ્મીર પ્રવાસ પર ગયેલા યૂરોપીય સાંસદોએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પ્રવાસને લઇને ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા. આ સાંસદોએ કહ્યું કે તેમના આ પ્રવાસને ખોટી રીતે જોવાઇ રહ્યો છે. એમણે અહીં માત્ર તથ્યો મેળવવા માટે આવ્યા છે. એમણે કહ્યું કે તેમને રાજનીતિથી કોઇ લેવા દેવા નથી.
કાશ્મીર પ્રવાસ પર ગયેલા યૂરોપીય સાંસદોએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલોના જવાબ આપ્યા
યૂરોપીય સાંસદોએ કહ્યું, આતંકવાદથી કોઇપણ દેશને બરબાદ થવા દઇશું નહીં
માદી શર્માએ યૂરોપના સાંસદોને ઇ-મેઇલ દ્વારા આમંત્રિત કર્યા હતા
આ સાંસદોએ દક્ષિણપંથી વિચારધારા હોવાના વિપક્ષના હુમલાઓ પર કહ્યું કે તે ફાસીવાદી નથી. જો ફાસીવાદી હોત તો જનતા તેમને ન ચૂંટતી. તેમણે સાથે કહ્યું કે આતંકવાદથી કોઇપણ દેશને બરબાદ થવા દઇશું નહીં.
આ તરફ યૂરોપીયન યૂનિયનના 27 સાંસદોના ભારત પ્રવાસને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન માદી શર્મા (Madi Sharma)ને લઇને છે. જેમણે યૂરોપના આ સાંસદોને ઇ-મેઇલ દ્વારા આમંત્રિત કર્યા હતા.
માદી શર્મા (Madi Sharma)એ સાત ઓક્ટોબરે મોકલેલા પોતાના એક ઇમેલમાં લખ્યું છે કે તે યૂરોપભરના દળોના એક પ્રતિનિધમંડળને ભારત લઇ જવાના આયોજનનું સંચાલન કરી રહી છે. આ વીઆઇપી પ્રતિનિધિમંડળની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરાવાશે અને બીજા દિવસે કાશ્મીરની મુલાકાત કરાશે. ઇમેલમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાતની તારીખ 28 ઓક્ટોબર લખવામાં આવી છે અને કાશ્મીર જવાની તારીખ 29 ઓક્ટોબર છે.
ઇ મેલ મુજબ માદી શર્માની એક એનજીઓ છે. જેનું નામ WESTT Women' s economic and social Think Tank. ઇ મેલમાં એમ પણ લખ્યું છે કે સાંસદોના આવવા અને જવાનુ ભાડુ અને રોકાવાનું આયોજન એક અન્ય સંસ્થા કરશે, જેનુ નામ છે International Institute for Non Aligned Studies. આ સંસ્થાની ઓફિસ દિલ્હીના સફદરજંગમાં છે. 1980માં બનેલી આ સંસ્થા નિર્ગુટ દેશોના આંદોલનને લઇને સભા-સેમિનાર કરાવવાનું છે. માદી શર્માનું ટ્વિટર એકાઉન્ટ પણ છે. જેના પર ત્રણ હજાર ફોલોઅર્સ છે. માદી શર્માની વડાપ્રધાન મોદી સાથે ઘણી તસવીરો પર છે.