2. શું લાલચ એટલી વધી ગઈ છે કે માનવતા જ નથી બચી ? ( ઓક્સિજન સપ્લાયરને હાઇકોર્ટ )
3. જો કોઈ સપ્લાયને રોકે છે, તો અમે તેને માફ નહીં કરીએ, ફાંસી પર લટકાવી દઇશું - (દિલ્હી સરકારને હાઇકોર્ટ )
દિલ્હી હાઇકોર્ટની આ ત્રણ ટિપ્પણીઓ ઘણી મહત્વપૂર્ણ છે કે કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચે તે માટે હાઇકોર્ટ કેટલી કડક છે, ઓક્સિજન સપ્લાયર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર...દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે લોકોના જીવન બચાવવામાં કોઈ પણની લાપરવાહીને સાંખી નહીં લેવાય, આમ છેલ્લા અમુક દિવસોમાં જો ઓક્સિજનની સપ્લાયને લઈને કોઈ સુધાર થયો છે, તો તેમાં દિલ્હી હાઇકોર્ટની ભૂમિકા મહત્વની છે.
બે જજોની બેન્ચ કરી રહી છે સુનાવણી
દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચ જસ્ટિસ વિપિન સાંઘી એનએ જસ્ટિસ રેખા પલ્લી એ હાલમાં ઓક્સિજનની સપ્લાયના મામલે સંજ્ઞાન લઈને આ મામલે કેન્દ્ર સરકાર, ઓક્સિજન સપ્લાયર અને દિલ્હી સરકારને લઈને પણ ઘણી કડક ટિપ્પણીઓ કરી છે અને આ સિવાય આ બંને ન્યાયમૂર્તિઓએ પહેલા પણ ઘણા મહત્વના કેસોમાં ચુકાદાઓ આપ્યા છે.
કોણ છે જસ્ટિસ વિપિન સાંઘી ?
27 ઓકટોબર 1961ના રોજ જન્મેલ જસ્ટિસ સાંઘી તેમના પરિવારમાં ત્રીજી પેઢીના કાયદાવિદ છે, તેમના દાદા એનએ પિતા પણ વકીલ રહી ચૂક્યા છે, દિલ્હી હાઇકોર્ટની સાથે જોડાયેલી વેબસાઇટ dhcmediation.nic.in (સમાધાન)
અનુસાર આમનો પરિવાર 1965 માં નાગપુર શિફ્ટ થઈ ગયો હતો, DPSથી શિક્ષણ મેળવ્યા પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીથી ગણિતમાં Bsc ગણિત ઓનર્સ કર્યું, પછી 1986 માં લોની સ્ટડી કરીને વકીલ તરીકે રજિસ્ટર્ડ થયા.
ઘણી જવાબદારીઓ સંભાળી
કરિયરની શરૂઆતમાં વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી સાથે કામ કર્યું, પછીથી કેન્દ્ર સરકારના પેનલ એડવોકેટ બન્યા, સુપ્રીમમાં પણ આ પદે કામ કર્યું એનએ તેના પછી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમમાં પ્રેક્ટિસ કરી. ડિસેમ્બર 2005 માં દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તરીકે નોંધાયા. ટોક્યો, જાપાન અને ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયામાં વગેરે સંમેલનોમાં ભાગ લઈ ચૂક્યા છે અને 11 ફેબ્રુઆરી 2008થી સિટિંગ જજ છે.
કોણ છે જસ્ટિસ રેખા પલ્લી ?
9 માર્ચ 1963ના રોજ જન્મેલી જસ્ટિસ રેખાએ લેડી ઇરવિન સ્કૂલથી શિક્ષણ પ્રાપ્ત કર્યું, Delhihighcourt.nic.in પર ઉપલબ્ધ માહિતી અનુસાર, વર્ષ 1983 માં, તેમણે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી બીએસસી પૂર્ણ કરી અને પછી 1986 માં દિલ્હીના કેમ્પસ લો સેન્ટરથી એલએલબીની ડિગ્રી મેળવી. જુલાઈ 1986 માં દિલ્હી બાર કાઉન્સિલમાં નોંધાયેલા, તેમણે વકીલ તરીકે કામ શરૂ કર્યું. તેણે 1986 માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને માર્ચ 1989 સુધી ત્યાં કામ કર્યું હતું. તેમણે માર્ચ 1991 માં સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે નોંધણી થઈ. તેમણે મુખ્યત્વે દિલ્હી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, સશસ્ત્ર દળ ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ કરી છે.
સરકારની પક્ષકાર રહી છે, હવે ખામીઓ ગણાવે છે
દિલ્હી હાઈકોર્ટ, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન અને એરફોર્સ સ્કૂલોના કાયમી એડવોકેટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. પછી તેમને દિલ્હી હાઈકોર્ટમાં જ ભારત સરકારના વરિષ્ઠ પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી. તેમણે સુપ્રીમ કોર્ટમાં વિવિધ યુનિવર્સિટીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. એપ્રિલ 2015 માં દિલ્હી હાઈકોર્ટે તેમને સિનિયર એડવોકેટ તરીકે નામાંકિત કર્યા હતા. ત્યારબાદ 15 મે 2017 માં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.