આ વાતથી જરાય ફરક નહી પડે કે તમે ક્યાંથી આવો છો પરંતુ એ વાતથી ફરક પડે છે કે તમે ક્યાં સુધી જશો.
આજે અમે તમને જિતેન્દ્ર સુના વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જે જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટી (JNU) ના અધ્યક્ષ પદ પર છાત્રસંઘ ચૂંટણી માટે ઉમેદવાર છે, જાણો કોણ છે આ યુવક..
જિતેન્દ્રની વાર્તા ઘણી રસપ્રદ છે. JNU માં એડમિશન વિશે ભાગ્યે જ વિચાર્યુ હશે. જિતેન્દ્ર પોતાની જિંદગીમાં મજૂરીનું કામ કરી ચૂક્યો છે.
જિતેન્દ્રનો જન્મ ઓડિશાના કાલાહાંડી જિલ્લાના પૌરકેલા ગામમાં થયો, તેમની માતા શાકભાજી વેચતા હતા, જ્યારે તેમના પિતા એક ખેતી માટે મજૂરીના કરતા હતા.
જિતેન્દ્રના પરિવાર માટે વર્ષ 1960 ખૂબ જ ખરાબ હતુ જ્યારે જમીન સુધાર બિલ દરમિયાન પરિવારને એક એકડ જમીન મળી, પરંતુ આ જમીનનો એક ટુકડો હવે ગિરવે મૂકવામાં આવ્યો છે.
જિતેન્દ્રએ જણાવ્યુ કે, જ્યારે તે ધોરણ 8માં હતો, ત્યારે તેની માતાનું નિધન થયુ હતુ. જિતેન્દ્રે કહ્યુ કે, મેં બીજાને ત્યાં ખેતી કરવાનું શરૂ કર્યુ. મને દિવસમાં 30-40 રૂપિયા મળતા હતા. એટલા રૂપિયા ખર્ચ માટે ઓછા પડતા હતા. એવામાં મેં મનરેગા હેઠળ રસ્તા અને તળાવના ખોદકામનું કામ શરૂ કરી દીધુ અને જેનાથી મને 100-150 રૂપિયા મળતા હતા. તમને જણાવી દઇએ કે, જિતેન્દ્રના 6 ભાઇ-બહેન છે.
જિતેન્દ્ર ભણવામાં હોશિયાર હતો અને એવામાં તે મજૂરીના કામ કરવાની સાથે શાળાએ પણ જતો હતો. આ રીતે તેણે શાળાનું ભણતર પૂરુ કર્યુ, આ પછી તેણે દિલ્હી જવા માટે નિર્ણય કર્યો. જિતેન્દ્ર દિલ્હી રૂપિયા કમાવવા માટે આવ્યો હતો, જેથી તે પોતાનું ઘર બનાવી શકે.
દિલ્હીમાં તેનો એક ભાઇ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) માં કામ કરતો હતો. આ માટે ભાઇને જોઇને જિતેન્દ્ર પણ દિલ્હી આવી ગયો. જિતેન્દ્રએ પણ IGL ના ગેસ સ્ટેશનમાં કામ કરવાનું શરૂ કરી દીધુ. આ દમિયાન જાતિને લઇને તેણે પોતાની સાથે ભેદભાવ થતો હોય તેવું લાગ્યુ.
જિતેન્દ્રએ જણાવ્યુ કે, મેં બાળપણથી જોયુ છે કેવી રીતે અમારી સાથે વ્યવહાર કરવામાં આવે છે. મારા ભાઇને તેની સરનેમને પર સવાલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો. IGL માં હેલ્પર તરીકે કામ કરવામાં પર મને 3500 રૂપિયા મળતા હતા, જે શહેરના ખર્ચ માટે પ્રયાપ્ત ન હતા.આ પછી મેં ગ્રેજ્યુએશન કરવાનો નિર્ણય કર્યો.
જિતેન્દ્રની જિંદગીમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે ગ્રેજ્યુએશન પછી તેમણા મિત્રએ તેણે નાગપુરના એક સંસ્થા વિશે જણાવ્યુ કે, જે મફતમાં UPSC ની કોચિંગ આપે છે. જ્યારે તેઓ નાગપુર પહોંચ્યા ત્યારે ખબર પડે કે, તે સંસ્થા અંબેડકરવાદ અને બોદ્ઘ ધર્મ પર 10 મહિનાનો કોર્સ કરાવી રહ્યા છે. જિતેન્દ્રએ અહીંયા એડમિશન લીધુ અને ત્યાં જાતિ અને અસ્પૃશ્યતા વિશે ઘણી વાતો જાણી. આ કોર્સ પૂરો થયા પછી તે દિલ્હી પરત ફર્યો. નાગપુરથી પરત આવતા જ નિર્ણય કર્યો કે તે આગળ ઇતિહાસ ભણશે અને દલિત ઇતિહાસ વિશે લખશે.
વર્ષ 2013માં જિતેન્દ્રને JNU માં એડમિશન મળ્યો. તેણે HCU અને JNU બંનેના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, જે પછી JNU MA પ્રવેશની પરીક્ષા આપી. તેણે ઇતિહાસમાં MA એ કર્યુ, તો Social Exclusion and Inclusive Policyમાં M.Phil ની ડિગ્રી લીધી. વર્તમાનમાં તે JNU માં PhD ભણી રહ્યો છે. PhD માં તેનો થીસિસ વિષય 'History of Identities & Exclusion; Ambedkar and the Marginalised' છે. તમને જણાવી દઇએ, જિતેન્દ્ર BAPSA ના એ સંસ્થાપક સભ્યોમાંથી એક છે અને હવે તે સંગઠનની તરફથી છાત્રસંઘની ચૂંટણીમાં ઉતર્યો છે. જિતેન્દ્રના એજન્ડામાં JNUમાં ડ્રોપઆઉટ દરને સંબોધિત કરવાનું અને છાત્રોમાં તેમની ફેલોશિપ સુનિશ્ચિત કરવાનું છે. 6 સપ્ટેમ્બરના JNUના છાત્રસંઘની ચૂંટણી થશે.