રાજ્યસભા ચૂંટણીને લઇ પક્ષોની ઉમેદવારો માટે કવાયત શરૂ થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ઉમેદવારોને લઇ મંથન શરૂ કરવામાં આવ્યુ છે. 26 માર્ચના ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેમાં મધુસુદનને રિપિટ કરવા કે નહીં તે મુદ્દે હાઇકમાન્ડ નિર્ણલ લેશે. જો કે અમુક ઉમેદવારોના નામ અત્યારથી જ નક્કી થઈ ગયા છે.
રાજ્યસભા ચૂંટણીને લઇ કવાયત
ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઇ મંથન
ગુજરાત કોંગ્રેસમાં 6થી વધુ દાવેદારો
26 માર્ચના 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી
રાજ્યસભા ચૂંટણીને લઇ પક્ષોની ઉમેદવારો માટે કવાયત શરૂ થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ઉમેદવારોને લઇ મંથન શરૂ કરવામાં આવ્યુ છે.
કોંગ્રેસમાં કોણ કોણ છે દાવેદાર
રાજ્યસભા માટે ગુજરાત કોંગ્રેસમાં 6થી વધુ દાવેદારો છે. જેમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના દાવેદાર છે. સિદ્ધાર્થ પટેલ, રોહન ગુપ્તાનું નામ પણ રાજ્યસભાની રેસમાં છે. તો વળી હિમાંશુ વ્યાસ, બાબુ પટેલ પણ રાજ્યસભા માટે દાવેદાર છે.
કોંગ્રેસમાં મોટા માથા નારાજ
26 માર્ચના ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેમાં મધુસુદનને રિપિટ કરવા કે નહીં તે મુદ્દે હાઇકમાન્ડ નિર્ણલ લેશે. અર્જુન મોઢાવાડિયા અને કોગ્રેસના અમુક નેતાઓ નારાજ છે.
ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
મધુસુદન મિસ્ત્રી અંગે હાઈકમાન્ડ લેશે નિર્ણય
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં રાજ્યસભાની 55 બેઠકો ખાલી થઇ રહી છે. જેને લઇ 26 માર્ચે 7 રાજ્યોની 55 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ અગાઉ સૂત્રોને મળેલી માહિતી મુજબ ભાજપ પોતાના સાંસદને ફરીવાર રિપિટ નહીં કરે તેમ કોંગ્રેસ પણ મધુસુદન મિસ્ત્રીને ફરી રિપિટ નહીં કરે તેવું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં કેટલી બેઠક માટે ચુંટણી થશે?
ગુજરાતમાં 4 બેઠક ઉપર આ ચુંટણી થવાની છે જેમાં ભાજપાની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર ચુંટણી થવાની છે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે