બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની NCBએ ધરપકડ કરી છે ત્યારે એક અન્ય નામ પણ ચર્ચામાં આવ્યું છ, સતીશ માનશિંદે. કોણ છે આ સતીશ માનશિંદે?
આર્યન ખાનનો કેસ લડશે સતીશ માનશિંદે
સેલિબ્રીટી લૉયર સતીશ માનશિંદે કોણ છે?
દિવસના 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે સતીશ
સેલેબના કેસ લડી ચૂક્યા છે સતીશ
માનશિંદે પ્રખ્યાત ક્રાઈમ એડવોકેટ છે અને તે બોલીવૂડ સર્કલમાં ખૂબ લોકપ્રિય છે. અહેવાલો અનુસાર, 1993માં મુંબઇ બ્લાસ્ટ કેસમાં સતીશ માનશિંદે સંજય દત્તના બચાવ પક્ષના વકીલ હતા અને દત્તને જામીન અપાવી હતી. સંજય દત્ત જ નહીં, સતીશ માનશિંદે સલમાન ખાન ને પણ એક કેસમાં જામીન અપાવી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં સતીશ માનશિંદે તેને જામીન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના વકીલ પણ સતીશ જ હતા. હવે શાહરુખના દિકરા આર્યન ખાનનો કેસ પણ તે જ લડશે.
કોણ છે માનશિંદે?
56 વર્ષીય પ્રખ્યાત વકીલ હાઇપ્રોફાઇલ કેસ માટે નવા નથી. 1983માં પ્રસિદ્ધ વકીલ સ્વ. રામ જેઠમલાણીના નેતૃત્વમાં વકીલ તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેમણે જેઠમલાણી સાથે 10 વર્ષ કામ કર્યુ હતુ. બાદમાં તેમણે ક્રિમિનલ લૉનો અભ્યાસ કર્યો અને રાજનેતા, અભિનેતા તેમજ અન્ય હસ્તીઓના કેસ સંભાળ્યા.
કેસ લડવાની વસૂલે છે તગડી ફી
મુંબઇમાં પ્રમુખ વકીલ તેમજ વિશ્વસનીય સેલેબ વકીલ હોવાના કારણે માનશિંદે પોતાના ક્લાઇન્ટ પાસેથી મોટી ફી વસૂલે છે. એક રિપોર્ટ અનુસાર માનશિંદે એક દિવસના 10 લાખ રૂપિયા લે છે.
રવિવારે આર્યનની થઇ ધરપકડ
NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલ એક ક્રૂઝ પર રેવ પાર્ટીમાં રેડ મારી હતી જેમા એક શાહરુખનો દિકરો આર્યન પણ પાર્ટીમાં પકડાયો છે. પાર્ટીમાં ડ્રગ્સ પણ પકડાયું છે. નોંધનીય છે કે જ્યારએ મુંબઈથી આ ક્રૂઝ ઉપડી ત્યારે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને NCBની ટીમ પહેલેથી જ ક્રૂઝ પર જ હતી. મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને ફરીથી મુંબઈ તરફ લાવવામાં આવી. NCBએ હજુ સુધી આધિકારિક રૂપે કોઈ નામનો ખુલાસો કર્યો નથી. ક્રૂઝ પર જે લોકો પકડાયા છે તેમને મુંબઈ લાવી દેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.