કોરોના વાયરસનાં ડેલ્ટા વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ત્રીજી લહેરને રોકવા માટે ચેતવણી આપવામાં આવી છે.
ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં વિશ્વ
ત્રીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટથી વિશ્વને ખતરો
સપ્ટેમ્બર સુધીમાં 10% વેકસીનેશન જરૂરી
ડેલ્ટા વેરિયન્ટથી ખતરો
અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં વિશ્વ હવે પ્રવેશી ચૂક્યું છે. ત્રીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટથી વિશ્વને ખતરો રહેશે. આ ઉપરાંત જે દેશોમાં વેકસીનેશન નથી કરવામાં આવ્યું ત્યાં પણ ખતરો વધારે હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
રસિકરણની ગતિ વધારવી જરૂરી
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અમુક દેશોમાં ફ્રી વધી રહેલા કોરોનાના કેસની સંખ્યા વધતાં ચેતવણી આપવામાં આવી છે. WHO દ્વારા કહેવા આવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. હવે દરેક દેશોમાં વેકસીનેશનની ગતિ વધારવી જરૂરી છે.
સપ્ટેમ્બર સુધીમાં 10% વેકસીનેશન જરૂરી
જે દેશોમાં વેકસીનેશન ધીમી ગતિએ ચાલી રહ્યું છે એ દેશોમાં હવે વેકસીનેશનની ઝડપ વધારવી જરૂરી છે. આગામી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ દેશોમાં 10% વેકસીનેશન પૂર્ણ થઈ જાય એ ખૂબ જ જરૂરી બની જાય છે.
આ ઉપરાંત WHO દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં 40% જેટલું રસીકરણ થઈ જવું જરૂરી છે.
2022 સુધીમાં તમામ દેશોમાં 70% જેટલું રસીકરણ થઈ જશે એવું એક અનુમાન પણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.
132 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ
વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમર્જન્સી ડિરેક્ટર માઇકલ રયાન દ્વારા જણાવાયું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની શરૂઆત સૌથી પહેલા ભારતથી થઈ હતી પરંતુ હવે ભારત 132 દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્રીજી વેવથી બચવા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી પડશે.