2002માં ભાજપે 127 અને 2017માં 99 બેઠક જીતી હતી અને ગત ચૂંટણીમાં 1.47 કરોડ વોટ એટલે કે 49 ટકા મત મળેવ્યા હતા.
2002માં ભાજપે 127 બેઠક જીતી હતી
2017માં 99 બેઠકો જ ભાજપે જીતી હતી
કોને કેટલા ટકા વોટ શેયર મળ્યા હતા અને મળશે?
ગુજરાત વિધાનસભાને લઈ રાજકારણ ગરમાયું છે. એક તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહે પ્રચારની કમાન સંભાળી છે ત્યારે બીજી તરફ પણ રાહુલ ગાંધી પણ સભા કરી તો વળી કેજરીવાલ સતત ગુજરાતમાં રેલીઓ અને સભા યોજી રહ્યાં છે. ગુજરાતમાં 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને ભાજપ સતત અહીં અડીખમ છે. ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં થવાની છે જેમાં એક અને પાંચ ડિસેમ્બરે મતદાન અને આઠ તારીખ પરીણામ જાહેર થશે.
2002માં ભાજપે 127 બેઠક જીતી હતી
ભાજપ માટે આ ચૂંટણી થોડી મુશ્કેલ છે કારણ કે, વર્ષ 2002માં ભાજપમાં 127 બેઠક જીતી હતી તો વર્ષ 2007માં 117 અને 2012માં 115 બેઠકો જ મળી હતી જે દર ચૂંટણીમાં ઘટતી જ જાય છે તો વર્ષ 2017માં ફક્ત 99 બેઠકો જ ભાજપ જીતી શકી હતી. જેમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનો સારો પ્રદર્શન રહ્યું અને 77 બેઠકો જીતી હતી અને ગત ચૂંટણીની આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેમણે 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ બેઠકો પર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
ગુજરાતમાં મોદી લહેર
વિશ્લેષકોનું માનવું છે કે, આ ચૂંટણીમાં ભાજપને થોડી કઠીનાઈયો છે. તેમણે કહ્યું કે, સત્તાપક્ષની વિરોધમાં લહેર છે પરંતુ ગુજરાતમાં ભાદપ એટલે મોદી પણ માનવમાં આવે છે અને મોદી જ સરકાર છે તેવું પણ માનવમાં આવે છે. આ ચૂંટણીમાં ફક્ત મોદીના નામ પર વોટ માટે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે મોદી ગુજરાતમાં ચૂંટણી હારવાના નથી પરંતુ 2024માં લોકોસભાની ચૂંટણીમાં તેમને મોટી સમસ્યા થઈ શકે છે. જો ભાજપનું પ્રદર્શન ગત વખત કરતા ખરાબ રહે તો 10 ધારાસભ્યોને પોતાની તરફણમાં કરવા પડે અને તે નાનાસુની વાત ન ગણાવી શકાય તેમજ 2017માં ભાજપને 99 બેઠક મળી હતી ત્યાર પછી ભાજપે 11 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને પક્ષપલટો કરાવી ભાજપમાં લાવ્યાં હતા. તેમણે કહ્યું કે, હાર્દિક પટેલ જેવા પાટીદાર નેતાઓને ભાજપે મનાવી લીધા છે અને હવે પાટીદાર ફેક્ટરને પણ પોટાની તરફેણ કરી રહી છે.
કોને કેટલાક વોટ શેયર મળશે
ભાજપે આમ આદમી પાર્ટી શરૂઆતમાં ફ્યૂલ પૂરવાનો કામ કર્યો કારણ કે, તે કોંગ્રેસના મતોને સીધો નુકસાન પહોંચાડતી હતી પરંતુ તે ફ્યૂલનો પાવર એટલો વધી ગયો અને જેણે ભાજપ મતદારોને પણ આકર્ષવના પ્રયત્ન કરતા તે બાબતે વડાપ્રધાન મોદીને મફત રેવડીની વાત કરવી પડી હતી. કેજરીવાલ પણ ગુજરાતમાં મોટા મોટા વાયદા આપવામા જરા પણ કચાસ છોડવા માંગતા નથી અને મફત વીજળી, રોજગારી જેવા વિવિધ વચનો આપી રહ્યાં છે. પાપ્ત માહિતી અનુસાર ગત ચૂંટણીમાં 1.47 કરોડ વોટ એટલે કે 49 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 1.24 કરોડ એટલે કે, 41.4 ટકા વોટ મળ્યા હતા અને વાત કરવામાં આવે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની તો 24 ટકા વોટ શેયર મળ્યા હતા.
2017માં કોને કેટલા ટકા વોટ શેયર મળ્યા હતા
વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીને રાજ્યમાં 35 ટકા વોટ મળી શકે છે. ઓપીનયન પોલના સર્વે જણાવા મળ્યું છે કે, ત્રિકોણીય મુકાબલામાં સત્તા વિરોધી લહેર હોવા છતાં 50 ટકા મત શેયર ભાજપને મળશે તેમજ કોંગ્રેસને 39 ટકા અને આમ આદમી પાર્ટીને 8 ટકા મત શેયર અનુમાન કર્યો છે. તેમજ અન્ય બધાને 3 ટકા મળશે. વર્ષ 2017 ભાજપમાં 49.7, કોંગ્રેસને 41.4 ટકા અને અન્યપક્ષોને 4.3 ટકા મળ્યા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને 0.1 ટકા વોટ મળ્યાં હતા