વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે કરાર કર્યા છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે.
દુનિયાભરમાં ભારતના આયુર્વેદનો ડંકો વાગ્યો
દુનિયા આખી આયુર્વેદ તરફ વળી
ગુજરાતમાં સ્થપાશે મોટુ ઔષધિ કેન્દ્ર
કોરોના કાળમાં નમસ્તે માટે મજૂબર થયેલા દુનિયાભારના દેશોએ ભારતને દુનિયાની ફાર્મસી કંઈ એમ જ નથી કહી. આપણે ત્યાં મસાલા હોય, પુદીના હોય અથવા તો લીમડાની ઉપયોગિતા સદીઓથી જગજાહેર છે. હા, આધુનિકતાના નામ પર થોડી માઠી અસર આવી છે, પણ હવે તે પણ ઓસરી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે કરાર કર્યા છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને પ્રસન્નતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની પરંપરાગત ઔષધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવા માટે ખૂબ જ મદદ કરશે. કેન્દ્રીય આયુષ મંત્રીએ જણાવ્યું હતું કે, આ સેન્ટર WHOનું દુનિયામાં પોતાના તરફથી પ્રથમ કેન્દ્ર હશે.
જિનેવામાં થયા હતા કરાર
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી સંબંધિત કરાર પર સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં ભારત સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા, પ્રધાનમંત્રીની હાજરીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટરે 5મા આયુર્વેદ દિવસ પર 13 નવેમ્બર 2020ના રોજ તેની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપનાને 9 માર્ચને મંજૂરી આપી હતી.
250 મિલિયન ડોલરની સહાય
WHOએ જણાવ્યું છે કે, પરંપરાગત ચિકિત્સાના વૈશ્વિક જ્ઞાનના આ કેન્દ્ર માટે ભારત સરકારે 250 મિલિયન ડોલરની સહાયતા કરી છે. તેનો ઉદ્દેશ્ય લોકો અને પૃથ્વીની સ્થિતિ સુધારવા માટે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી દુનિયાભરમાં પરંપરાગત ચિકિત્સાની ક્ષમતાનું વહન કરવાનું છે. આજના સમયમાં દુનિયાની લગભગ 80 ટકા વસ્તી પરંપરાગત ચિકિત્સાનો ઉપયોગ કરે છે. આજની તારીખમાં 194 WHO સભ્યોએ દેશમાંથી 170 દેશોએ પરંપરાગત ચિકિત્સના ઉપયોગની જાણકારી આપી છે. આ દેશોની સરકારોએ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર વિશ્વસનિય સાક્ષ્ય અને ડેટાનું એક નિકાય બનાવાની દિશામાં WHOને સપોર્ટ માટે કહ્યું છે.
Traditional medicines and wellness practices from India are very popular globally. This @WHO Centre will go a long way in enhancing wellness in our society. https://t.co/fnR4ZHS3RD
40 ટકા ફાર્માસ્યુટિકલ પ્રાકૃતિક પદાર્થોમાંથી મળે છે
બહું ઓછા લોકો જાણતા હશે કે, આજે ઉપયોગમાં લેવાતા લગભગ 40 ટકા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પ્રાકૃતિક પદાર્થોમાંથી મળે છે. જે જૈવ વિવિધતાના સંરક્ષણના મહત્વને સામે રાખે છે. ઉદાહરણ તરીકે એસ્પિરિની શોધ વિલોઝાડની છાલનો ઉપયોગ કરતા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ પર આધારિત છે. આવી જ રીતે ગર્ભનિરોધક ગોળી જંગલી યામ છોડના મૂળમાંથી તૈયાર કરવામાં આવી છે અને બાળકોના કેન્સરના સારવાર Rosy Periwinkle ફૂલ પર આધારિત છે. મલેરિયાની સારવાર માટે Artemisinin પર નોબેલ પુરસ્કાર વિજેતાને પ્રાચીન ચીની ચિકિત્સા ગ્રંથોની સમીક્ષામાંથી પોતાની શોધ કરી હતી.
ભારત સરકારનો આભાર માન્યો
WHOના ડિરેક્ટર Dr Tedros Adhanom Ghebreyesus એ કહ્યું કે, દુનિયાભરમાં લાખો લોકો માટે કેટલીય બિમારીઓની સારવાર માટે આજે પરંપરાગત ચિકિત્સા પ્રથમ વિકલ્પ છે. તેમણે કહ્યું કે, અમારુ મિશન તમામ માટે સુરક્ષિત અને પ્રભાવી સારવાર આપવાનું છે. તેમણે કહ્યું કે, આ નવું ચેપ્ટર પરંપરાગત ચિકિત્સાના તથ્ય આધારિત વિજ્ઞાનને મજબૂતી આપે છે. તેમણે સહયોગ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.