WHO ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૂળ રસીની રચનાના પુનરાવર્તિત બૂસ્ટર ડોઝ પર આધારિત રસીકરણ વ્યૂહરચના યોગ્ય અથવા ટકાઉ હોવાની શક્યતા નથી.
કોવીડ-19 સામે અસરકારક રસી બનાવવાની જરૂર છે - WHO
હાલ બજારમાં ઉપલ્બધ રસીઓના બૂસ્ટર ડોઝ પૂરતા નથી- WHO
દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો દર 11.05 ટકા સુધી વધી ગયો
The WHO Technical Advisory Group on #COVID19 Vaccine Composition is looking at whether the strain composition of the vaccines needs to be updated & encourages vaccine developers to gather and share data with WHO on this https://t.co/GCxlp2xfg9https://t.co/EwgZinEjh3
વેક્સિનનો બૂસ્ટર ડોઝને પુનરાવર્તિત કરવું એ વેરિયન્ટ સામે યોગ્ય વ્યૂહરચના નથી.
એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જેને લઈને વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ અને બૂસ્ટર ડોઝને લઈને એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે હાલની રસીઓના બૂસ્ટર ડોઝ પૂરતા નથી.અને હવે સંક્રમણને રોકવા માટે અસરકારક રસી બનાવવાની જરૂર છે. WHO નિષ્ણાતોએ મંગળવારે ચેતવણી આપી હતી કે મૂળ કોવિડ રસીના બૂસ્ટર ડોઝને પુનરાવર્તિત કરવું એ ઉભરતા પ્રકારો સામે યોગ્ય વ્યૂહરચના નથી.
કોવીડ-19 સામે અસરકારક રસી બનાવવાની જરૂર છે - WHO
કોરોના રસીની રચના પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ટેકનિકલ સલાહકાર જૂથના નિષ્ણાતોના જૂથે જણાવ્યું હતું કે હાલની રસીઓ ગંભીર બીમારી અને ચિંતાના પ્રકારોને કારણે થતા મૃત્યુ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ પૂરું પાડે છે. પરંતુ ભવિષ્યમાં, આપણે એવી રસીઓ વિકસાવવાની જરૂર છે જે સંક્રમણને વધુ મજબૂત રીતે રોકી શકે. નવી રસીથી ગંભીર રોગ અને મૃત્યુની રોકથામ વધુ સારી રીતે કરી શકાય છે. WHOએ ચેતવણી આપી છે કે આગામી છથી આઠ અઠવાડિયામાં લગભગ 50 ટકા યુરોપિયન વસ્તી કોવિડ-19ના ઓમિક્રોન પ્રકારથી સંક્રમિત થઈ જશે.
હાલની રસીઓના બૂસ્ટર ડોઝ પૂરતા નથી
કોવિડ-19 વેક્સિન કમ્પોઝિશન પર WHO ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૂળ રસીની રચનાના પુનરાવર્તિત બૂસ્ટર ડોઝ પર આધારિત રસીકરણ વ્યૂહરચના યોગ્ય અથવા ટકાઉ હોવાની શક્યતા નથી. પ્રારંભિક ડેટા દર્શાવે છે કે નવા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમતિ લોકોમાં કોવિડ રોગને રોકવા માટે હાલની રસીઓ ઓછી અસરકારક હતી.એવી રસીઓ વિકસાવવાની જરૂર છે જે માત્ર લોકોને ગંભીર રીતે બીમાર થવાથી બચાવે નહીં પરંતુ સંક્રમણ અને ટ્રાન્સમિશનને અગાઉથી વધુ સારી રીતે અટકાવી શકે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાથી સામે આવ્યો હતો, ત્યારબાદ આ વેરિયન્ટ ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો દર 11.05 ટકા સુધી વધી ગયો છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે આવ્યા બાદ સંક્રમણના મામલાઓ દુનિયાભરમાં ચિંતાજનક રૂપથી વધી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,94,720 લાખ કેસો સામે આવ્યા છે. અને સંક્રમણનો દર 11.05 ટકા સુધી વધી ગયો છે. અને જો ઓમિક્રોનની વાત કરીએ તો તેના પણ દેશમાં 4868 કેસો સામે આવી ચુક્યા છે. કોરોનાની મહામારી નવી લહેર વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠને એક વખત ફરીથી દુનિયાના તમામ દેશો સુધી વેક્સિન પહોંચાડવા પર જોર મુકવામાં આવ્યું છે.
We can end the #COVID19 pandemic but governments and manufacturers must:
-Increase vaccine supplies to countries at risk with low coverage
-Ensure the resources needed to get jabs in arms
WHOના ચીફે જણાવ્યું કેવી રીતે ખતમ થઈ શકે છે મહામારી
WHOના પ્રમુખે તાજેતરમાં જણાવ્યું હતું કે, આ મહામારીને ખતમ કરવું સંભવ છે. પરંતુ તેના માટે કેટલાક સખત પગલા ઉઠવવા પડશે. WHOના ચીફ ટેડ્રોસ એડનોમે કહ્યું કે, નિશ્ચિત રૂપથી કોરોનાને હરાવી શકાય છે. પરંતુ દુનિયા ભરની તમામ સરકાર અને વેક્સિન ઉત્પાદકોએ બે વસ્તુઓ લઈને આશ્વત કરવું પડશે જેમાં પહેલું એવા દેશો જ્યાં વેક્સિન નથી પહોંચી રહી પરંતુ કોરોનાનું જોખમ છે. તેવા દેશોમાં વેક્સિનની સપ્લાય વધારવામાં આવે અને બીજું એવા લોકોને વેક્સિન આપવા માટે આવશ્યક સંસાધનોને પર્યાપ્ત પૂર્તિ કરવામાં આવે. આપણે ત્યાં સુધી સુરક્ષીત નથી જ્યાં સુધી કોઈ તમામ લોકો સુરક્ષીત નથી.