કોરોનાની વિરુદ્ધ ભારતે એ સફળતા મેળવી છે જેની રાહ મહિનાઓથી હતી. એક દિવસમાં એક કરોડથી વધારે કોરોનાની રસી લગાવીને ઈતિહાસ રચવામાં આવ્યો છે. જેને લઈને ચારેબાજુ વાહ વાહ થઈ રહી છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોપના વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને 1 કરોડ રસી લગાવીને સફળતાને બિરદાવી છે.
ભારતે લગભગ 50 ટકા વયસ્કોનું રસીકરણ કરી લીધું -ડો. સૌમ્યા
ડો. સૌમ્યા સ્વામીનાથને ટ્વીટ કરી કહ્યું કે ભારતે લગભગ 50 ટકા વયસ્કોનું રસીકરણ કરી લીધું છે. અત્યાર સુધી દેશમાં કોરોનાની રસીના 62,17,06,882થી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે અને કાલે એક કરોડ લોકોને રસી લાગી છે. રસીકરણ અભિયાનમાં સામેલ હજારો કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. પબ્લિક હેલ્થ અને વ્યક્તિગત નિવારક ઉપાયોની સાથે સાથે રસીકરણ તમામની રક્ષા કરશે.
આ ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી માટે એક ગર્વની વાત- ડો. અરોડા
ત્યારે ભારતમાં રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર ગ્રુપના પ્રમુખ ડો. એનકે અરોડાએ શુક્રવારે એક દિવસમાં એક કરોડ લોકોને રસી લગાવવા પર કહ્યું કે આ ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી માટે એક ગર્વની વાત છે. ડો. અરોડાએ કહ્યું કે દેશે એક જ દિવસમાં 1.25 કરોડનું રસીકરણ જલ્દી થવાની આશા છે. આ વર્ષના અંત સુધી પૂર્ણ રસીકરણના લક્ષ્યને મેળવવા દેશમાં 31 ડિસેમ્બર સુધી રોજના 1 કરોડ રસી આપવી જોઈએ.
પીએમએ રસીકરણ અભિયાન સાથે જોડાયેલા લોકોને બિરદાવ્યા
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સાંજે સાત વાગ્યા સુધીના રિપોર્ટ અનુસાર એક વધુ મહત્વપૂર્ણ ઉપલબ્ધિમાં દેશમાં કોવિડ-19 રસીકરણ 62 કરોડ (62,09,43,580) ડોઝને પાર કરી ગયું છે. દિવસભરનો અંતિમ રિપોર્ટ મોડી રાત સુધી તૈયાર કરી દેવાશે. પ્રધાનમંત્રી મોદીએ રસીકરણ અભિયાન સાથે જોડાયેલા લોકોને બિરદાવ્યા અને રસી લગાવનારના વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરી, આજે રેકોર્ડ રસીકરણ થયું છે. એક કરોડનો આંકડો પાર કરવો મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. જે લોકો રસી લગાવી રહ્યા છે અને આ રસીકરણ અભિયાનને સફળ બનાવી રહ્યા છે તેમને અભિનંદર. નોંધનીય છે કે અત્યાર સુધી દેશમાં એક કરોડ રસી નહોતી લાગી.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું કે નાગરિકોને અભિનંદન, કારણ કે ભારતમાં આજે ઐતિહાસિક 90 લાખ કોરોના રસીના ડોઝ અપાયા અને હજુ પણ ગણતરી ચાલુ છે. આ પહેલા અત્યાર સુધી સૌથી વધુ દેશભરમાં 17 ઓગસ્ટના રોજ રસી અપાઈ હતી જેની સંખ્યા 88 લાખથી વધુ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર રસીકરણ અભિયાનના ત્રીજા ચરણ શરૂ થયા બાદ અત્યાર સુધી 18-44 વર્ષની ઉંમરના 23,72,15,353 લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 2,45,60,807 લોકોને બીજો ડોઝ અપાયો છે.