હળવા લક્ષણોને લઇને ઓમિક્રૉનને નજર અંદાજ ન કરી શકાય. આ અન્ય વેરિયન્ટ કરતા વધુ સંક્રામક છે. WHOએ નવા વેરિયન્ટને લઇને ફરી ચેતવ્યા છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઇને ચેતવણી
ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છેઃ WHO
કોઇએ આને હળવાશથી ન લેવોઃ WHO
કોરોના વાયરસના નવા અને વધુ સંક્રામક વેરિયન્ટ ઓમિક્રોનને લઇને વધી રહેલી ચિંતાઓ વચ્ચે WHO દક્ષિણ-પૂર્વ ક્ષેત્રના ક્ષેત્રીય ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલસિંહે ગુરૂવારે કહ્યું કે, આને હળવાશમાં ન લેવો જોઈએ. તેમણે કહ્યું કે, ઓમિક્રોન કોરોના વાયરસના છેલ્લા વેરિયન્ટથી વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને કોઇએ આને હળવો ન કહેવો જોઈએ.
સમાચાર એજન્સીને અપાયેલા નિવેદનમાં ડૉ. પૂનમ ખેત્રપાલસિંહે કહ્યું કે, ઓમિક્રૉનથી કુલ મળીને જે ખતરો સામે આવી રહ્યો છે તે ત્રણ સવાલો પર નિર્ભર કરે છે. પહેલો, આ વેરિયન્ટ કેટલો સંક્રામક છે. બીજુ, રસી અને પૂર્વમાં થયેલા સંક્રમણને આનાથી બચાવવા માટે કેટલુ સક્ષમ છે અને ત્રીજો સવાલ એ છે કે કોરોના વાયરસના પૂર્વમાં સામે આવી ચૂકેલા અલગ અલગ વેરિયન્ટના મુકાબલે આ કેટલો ખતરનાક છે.
છેલ્લા વેરિયન્ટના મુકાબલે ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રૉન
ડૉ.સિંહે કહ્યું કે, હાલમાં અમારી પાસે જે માહિતી અને પુરાવા છે તેના અનુસાર ઓમિક્રૉન ગત વેરિયન્ટ કરતા અનેક ગણો વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દક્ષિણ આફ્રીકાના શરૂઆતના ડેટા જણાવે છે કે ઓમિક્રૉનથી બીજી વખત સંક્રમિત થવાનો ખતરો વધ્યો છે, પરંતુ કોઈ નિર્ણય પર પહોંચવા માટે હજુ અમારી પાસે વધુ માહિતીની જરૂર છે. ઓમિક્રૉન વેરિયન્ટને લઇને હજુ પણ અમારી પાસે બહુ મર્યાદિત ડેટા છે.
ઓમિક્રૉન વિરૂદ્ધ રસીની અસર ઓછી થઇ શકે છે
શું હાલની કોરોના વાયરસ વિરોધી રસી ઓમિક્રૉન વિરૂદ્ધ અસરદાર છે. ડૉ. પૂનલ ખેત્રપાલસિંહે કહ્યું કે, શરૂઆતના ડેટા વધુ સંકેત કરે છે કે ઓમિક્રૉન વિરૂદ્ધ રસીની અસર ઓછી આવી શકે છે. જોકે, આને લઇને પણ કોઈ તારણ પર પહોંચવા માટે તેમને વધુ મહિતીની જરૂરીયાત પર જોર આપ્યું અને કહ્યું કે આવનારા અઠવાડિયામાં આપણને આને લઇને માહિતી મળી શકે છે.