વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારે કહ્યું કે ભલે કોરોનાથી બચવા માટે વેક્સીન બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું હોય પરંતુ કોરોના વાયરસના જવાબમાં કોઈ રામબાણ સમાધાન ભાગ્યે જ મળશે. WHOએ એમ પણ કહ્યું છે કે ભારત જેવા દેશમાં ટ્રાન્સમિશન રેટ ઘણો વધારે છે અને સાથે તેણે લાંબી લડાઈ લડવા માટે હજુ પણ તૈયાર રહેવાની જરૂર છે.
WHO ચીફનું મહત્વનું નિવેદન
કોરોનાનો રામબાણ ઈલાજ મળવો મુશ્કેલ
ભારત સામે કોરોના માટે મોટી લડાઈ હજુ બાકી છે
સ્થિતિ સામાન્ય થવામાં લાગશે સમય
WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એડનમે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોરોનાનો હજુ સુધી કોઈ રામબાણ ઈલાજ શોધાયો નથી. અને ભાગ્યે જ એવું બનશે કે તે મળશે, તેઓએ એમ પણ કહ્યુ કે હવે સ્થિતિ સામાન્ય થવામાં વધારે સમય લાગી શકે છે. 3 મહિના પહેલાં WHOની ઈમરજન્સી કમિટી મળી હતી. આ પછી દુનિયાભરમાં ઈન્ફેક્શનના પાંચ ગણા વધારે કેસ એટલે કે 1.75 કરોડ થયા છે અને મોતનો આંક ત્રણ ગણો વધારે એટલે કે 6.8 લાખ થયો છે.
કડક પગલાં લેવા જરૂરી
ટેડ્રોસ અને WHOએ ઈમરજન્સી હેડ માઈક રાયને દરેક દેશને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હાથ ધોવા અને ટેસ્ટ કરાવવા જેવા પગલાં લેવા કહ્યું છે. ટેડ્રોસે કહ્યું કે લોકો અને સરકાર માટે ખાસ મેસેજ છે કે બનતા તમામ પ્રયાસ કરો. તેઓએ માસ્કને લોકોની વચ્ચે એકતાનું પ્રતીક બનાવવા કહ્યું છે.
લડાઈ હજુ લાંબી છે, એકતા અને તૈયારીની જરૂર છે
WHO ડાયરેક્ટરે કહ્યું કે અનેક વેક્સીન છે જે અત્યારે ત્રીજા તબક્કામાં કામ કરી રહી છે. આ વેક્સીન આવતાં અનેક લોકો સંક્રમણથી બચી જશે. અત્યારે તેનો કોઈ રામબામ ઈલાજ નથી અને ન તો ક્યારેય આવશે. રાયને કહ્યું કે બ્રાઝિલ અને ભારતમાં ટ્રાન્સમિશન રેટ વધારે છે અને તેઓએ મોટી લડાઈ માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમાંથી બાહર આવવાની લડાઈ લાંબી છે અને તેના માટે તમામ પ્રયાસો કરવા જરૂરી છે.