એક્ટ્રેસ કંગના રનૌત સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે. કંગના નિડર થઇને નિવેદન આપે છે અને પોતાનો મુદ્દો રાખે છે. એક્ટ્રેસ ટ્રોલ્સનો જવાબ આપવામાં પણ પાછળ નથી હટતી પરંતુ બુધવારે કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ અસ્થાયીરૂપથી બંધ કરી દેવામાં આવ્યું હતું.
કંગનાનું ટ્વિટર અકાઉન્ટ થયુ સસપેન્ડ
બૅન હટ્યા બાદ ભડકી કંગના
ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
Librus cried to their chacha @jack and got my account temporarily restricted, they are threatening me mera account/virtual identity kabhi bhi desh keliye shaheed ho sakti hai,magar my reloaded desh bhakt version will reappear through my movies.Tumhara jeena dushwar karke rahungi.
જે બાદ કંગનાએ ટ્વિટર પર તેની જાણકારી આપી હતી. સાથે જ કંગનાએ ટ્વિટરના સીઇઓ જૅકને ટેગ કરીને તે ટ્રોલર્સને જવાબ પણ આપ્યો હતો, જેમણે ટ્વિટ કરીને કંગનાનું અકાઉન્ટ બૅન કરવાની માગ કરી હતી. મહત્વનું છે કે ટ્વિટર પર #SuspendKanganaRanaut ટ્રેન્ડ કરી રહ્યું છે.
કંગનાએ ટ્વિટમાં શું લખ્યું
એક્ટ્રેસે લખ્યું છે કે, લિબરલ હવે તેમના કાકા જેક પાસે જઇને રોવા લાગ્યા અને મારા અકાઉન્ટને અસ્થાયીરૂપથી બૅન કરાવી દીધું. તે લોકો મને ધમકાવી રહ્યાં છે, મારુ અકાઉન્ટ ક્યારેય પણ શહીદ થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે, કંગનાએ વેબ સિરીઝ તાંડવને લઇને થઇ રહેલા વિવાદમાં પણ પ્રતિક્રિયા આપી હતી. વૅબ સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને સવાલ પણ કર્યા હતા.
માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં
અમેઝોન પ્રાઈમ પર હાલમાં રિલીઝ થયેલી વેબસીરીઝ તાંડવને લઈને ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે, આની વચ્ચે સોમવારે તાંડવને લઈને દેશના ઘણા ભાગોમાં ના માત્ર વિરોધ પ્રદર્શન થયા પરંતુ સરકાર પણ કાર્યવાહી કરવા માટે કડક બની છે. આ વિવાદ પછી આજે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં એક બેઠક થઇ હતી, જેમાં તાંડવના મેકર્સને આ મામલે નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે સોમવારે જ આ સિરીઝના મેકર્સ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લોકોની માફી માંગવામાં આવી હતી.મહત્વનું છે કે આ સિરીઝમાં હિન્દૂ ધર્મના લોકોની ધાર્મિક શ્રધ્ધાને ઠેસ પહોંચાડવાની વાતને લઈને વિવાદ વધ્યો છે.
माफ़ी माँगने केलिये बचेगा कहाँ? ये तो सीधा गला काट देते हैं, जिहादी देश फ़तवा निकाल देते हैं लिब्रु मीडिया वर्चूअल लिंचिंग कर देती है, तुम्हें ना सिर्फ़ जान से मार दिया जाएगा बल्कि उस मौत को भी जस्टिफ़ाई किया जाएगा, बोलो @aliabbaszafar है हिम्मत अल्लाह का मज़ाक़ उड़ाने की ? https://t.co/NYASyuVS2i
આ બધાની વચ્ચે ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને તાંડવને હટાવવાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે અલી અબ્બાસ ઝફરજી ક્યારેક પોતાના ધર્મ ઉપર પણ મૂવી બનાવીને માફી માંગી જુઓ, આ બધી અભિવ્યક્તિની આઝાડી માત્ર અમારા ધર્મ સાથે જ શા માટે છે ? ક્યારેક તમારા એક માત્ર ભગવાનની મજાક કરીને પણ શરમ અનુભવી જુઓ. તમારા ગુનાઓનો હિસાબ ભારતના કાયદા કરશે, તાંડવને હટાવવું જ પડશે, ઝેરીલું કન્ટેન્ટ પાછું ખેંચો.
આ જ દરમિયાન કપિલ મિશ્રાના ટ્વીટને જ ટેગ કરીને બોલીવડ અભિનેત્રી કંગના રનૌતે લખ્યું હતું કે માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં?