દુનિયામાં એક વાર ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે WHOએ એક રિપોર્ટમાં કહ્યું છે કે 15 દિવસમાં કોરોનાના કેસ 20 કરોડનો આંક પાર કરી શકે છે.
વિશ્વમાં કોરોનાના મોતનો આંક ચોંકાવનારો
મોતના આંકમાં થયો 21 ટકાનો વધારો
15 દિવસમાં 20 કરોડથી પણ વધી શકે છે કેસઃ WHO
WHOનું કહેવું છે કે કોરોના વાયરસથી થતા મોતમાં ગયા અઠવાડિયે 21 ટકાનો વધારો થયો છે. આ સાથે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર માનવામાં આવી રહ્યો છે. WHOએ અઠવાડિક રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા અને દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશોમાં સૌથી વધારે મોત થઈ રહ્યા છે. તેના કારણે મૃતકોની સંખ્યા વધીને 40 લાખથી પણ વધારે થઈ છે.
15 દિવસમાં કોરોનાના કેસ થઈ શકે છે 20 કરોડને પાર
સંગઠનનું કહેવું છે કે એક લાખ લોકોની વસ્તીના મોતના આંક જોવામાં આવ્યા છે જેમાં અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશમાં 2.8 અને 1.1 મોત થયા છે. દુનિયામાં કોરોના કેસમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. WHOએ ચેતવણી આપતા રહ્યું કે જો આ સ્થિતિ રહેશે તો ફક્ત 15 દિવસમાં કોરોનાના કેસ 20 કરોડને પાર થશે.
આ દેશોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
રિપોર્ટ અનુસાર સૌથી વધારે કેસ બ્રાઝિલ, અમેરિકા, ઈન્ડોનેશિયા, બ્રિટન અને ભારતમાં જોવા મળ્યા છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસમાં કોઈ ફેરફાર જોવા મળ્યા નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે વધારે ઝડપથી ફેલાઈ રહેલો કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ 8 વધુ દેશમાં ફેલાયો છે અને 132 દેશ સુધી પહોંચ્યો છે.
વેક્સિનને ગણાવાઈ છે જરૂરી
કોરોનાના નવા વેરિઅન્ટના મળ્યા બાદ વેક્સિનની પ્રભાવશીલતાને લઈને સવાલ થઈ રહ્યા છે. જેને લઈને WHOએ કહ્યું કે વેરિઅન્ટના વિરોધમાં ન્યૂટ્રલાઈઝેશનમાં ખામી જોવા મળી છે. WHOએ વેક્સિન લગાવવાનું જરૂરી ગણઆવ્યું છે અને કેટલીક વેક્સિન એન્ટીબોડી બનવામાં મદદ પણ કરી રહી છે. એવામાં ન્યૂટ્રલાઈઝએશનમં ખામીના કારણે એમ ન કહી શકાય કે વેક્સિનની પ્રભાવશીલતા ઓછી છે.