આ વખતે ભારતે તેની નવી સૂચનાઓ અને સંશોધન સાથે WHOને સંકેત આપ્યો છે કે દેશ હવે કોરોના વાયરસ સામેની લડતમાં એકલા હાથે ચાલશે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓને WHOની સલાહની જરૂર નથી.
ભારતના આ પ્રયાસને રોકવાના બદઈરાદા પાછળ આ છે કારણ
કોરોના વાયરસ અંગેના WHOના નિર્દેશ સામે ભારતની પ્રતિક્રિયા
ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓને WHOની સલાહની જરૂર નથી
કોરોનાવાયરસ રોગચાળા સામેની લડતમાં ભારતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) સામે મોરચો માંડ્યો છે. આ વખતે ભારતે WHOને તેની નવી સૂચનાઓ અને સંશોધન સાથે સંકેત આપ્યો છે કે દેશ હવે કોરોના વાયરસ સામેની લડતમાં એકલા હાથે આગળ વધશે. દેશના હિતમાં જે સંશોધન અને સારવાર જરૂરી છે તે જ કરશે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓને WHOની સલાહની જરૂર નથી.
કોરોના વાયરસ અંગેના WHOના નિર્દેશ સામે ભારતની પ્રતિક્રિયા
તાજેતરમાં WHOએ સભ્ય દેશોને આદેશ આપ્યો છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોના વાયરસની સારવારમાં ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેના ટ્રાયલ બંધ કરી દેવામાં આવે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ ન માત્ર આ દવા પર સંશોધન કર્યુ બલ્કે દેશના ડોકટરોએ પણ કહ્યું છે કે કોરોના વાયરસની સારવારમાં આ દવાના ઉપયોગથી જીવ બચી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ તેના તાજેતરના સંશોધનમાં કહ્યું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાના ઉપયોગથી કોરોના વાયરસના ચેપના જોખમમાં ઘટાડો થયો છે.
ભારતના આ પ્રયાસને રોકવાના બદઈરાદા પાછળ આ છે કારણ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હકીકતમાં મોટાભાગના પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ હંમેશાં ભારતની ખૂબ સસ્તી દવાઓથી સારવારને નીચુ બતાવવાનો પ્રયાસ કરે છે. મેલેરિયાને રોકવા માટે બનેલી હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી કોરોના વાયરસની સારવાર શક્ય છે. જો કોરોના વાયરસ સામેના રક્ષણ માટે આ સસ્તી દવાનો ઉપયોગ વધે તો પશ્ચિમી દેશોની ફાર્માસ્યુટિકલ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ જ કારણ છે કે તેમની લોબી WHO પર દબાણ મૂકીને હાઇડ્રોક્સીક્લોરોક્વિનના તમામ ટ્રાયલ અટકાવવા માંગે છે. ભારતે આનો વિરોધ કર્યો છે.