વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વેબસાઈટ પર દુનિયાના તમામ દેશોને અલગ અલગ રંગામાં વર્ગીકૃત કર્યા પરંચુ ભારતને દર્શાવતા સમયે લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરને અલગ રંગમાં દર્શાવ્યા છે. જે બાદથી બ્રિટનમાં ભારતીય પ્રવાસિઓએ કેટલીક નારાજગી ભરી પ્રતિક્રિયા સામે આવી છે.
સંગઠન જાણી જોઈને ભારતને ઠેસ પહોંચાડવા જેવું કામ કરે
જમ્મુ -કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા
આની પાછળ ચીનનો હાથ લાગે છે
જમ્મુ -કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા
એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યાનુંસાર હાલમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. જમ્મુ -કાશ્મીર અને લદ્દાખને ગ્રે રંગથી દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કે સમગ્ર ભારતને બ્લૂ રંગથી દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અક્સાઈ ચીનને વિવાદિત સીમાને બ્લૂ લાઈન સાથે સીમાંકિત કરવામાં આવ્યું છે. જે ચીનનો ભાગ લાગી રહ્યો છે.
સંગઠને કોવિડ 19 ડૈશબોર્ડ પર લગાવ્યો છે
આ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ 19 ડૈશબોર્ડ પર લગાવ્યો છે. જેના પર કોરોનાના તાજા મામલાની જાણકારી મળી છે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એ સ્પષ્ટ કર્યુ છે કે તે નકશાની બાબતમાં સંયુક્ત રાષ્ટ્રના દિશા નિર્દેશનું પાલન કરે છે.
ચીન ડબ્લ્યૂએચઓને સૌથી વધારે ફંડિંગ કરે છે
લંડનમાં રહેનારા એક આઈટી કન્સલ્ટન્ટે આ નકશાને સૌથી પહેલા નોટિસ કર્યો કર્યો અને આ એક વોટ્સ એપ ગ્રુપના માધ્યમથી શેર કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિના જણાવ્યાનુંસાર તેણે જ્યારે આ નકશાને જોયો જેમાં લદ્દાખ અને જમ્મુ- કાશ્મીર ભારતથી અલગ છે. તો તે આશ્વર્યમાં પડી ગયો અને તેણે એમ કહ્યું કે આની પાછળ ચીન હોઈ શકે છે કેમ કે ચીન ડબ્લ્યૂએચઓને સૌથી વધારે ફંડિંગ કરે છે.
આની પાછળ ચીનનો હાથ લાગે છે
આઈટી કન્સલ્ટેન્ટ પંકજનું કહેવું છે કે હું આ વાતથી આશ્ચર્યચકિત હતો કે દુનિયામાં આટલી મોટી સંસ્થા આવી ભૂલ કરી શકે છે. હુ જાણું છું કે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને સૌથી વધારે ફંડિંગ કરે છે અને પાકિસ્તાન, ચીન પાસેથી લોન લે છે અને ઈચ્છે છે કે આ મુદ્દો હંમેશા સક્રિય રહે. પંકજે આગળ જણાવ્યું કે આની પાછળ ચીનનો હાથ લાગે છે.
સંગઠન જાણી જોઈને ભારતને ઠેસ પહોંચાડવા જેવું કામ કરે
પ્રવાસી સમૂહ રીચ ઈન્ડિયાની સોશિયલ મીડિયા અધ્યક્ષ નંદિની સિંહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ભારતીય ક્ષેત્રનો નકશો એ દર્શાવે છે કે આ ચીનની સાંઠગાંઠ છે. નંદિની સિંહે કહ્યું કે ભારતનો આભાર માનવાની જગ્યાએ તે જાણી જોઈને ભારતને ઠેસ પહોંચાડવા જેવું કામ કરે છે. નંદિની સિંહે જણાવ્યું કે કોવિડ -19ના સમયે ભારતે સંગઠનને કેટલી મદદ કરી તેમ છતાં સંગઠને આમ કર્યું.