વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, જો ઓમિક્રોન બાદ કોવિડ-19નો કોઈ મોટો પ્રકોક નહીં થાય, તો 2022માં મહામીરનો અંત થઈ જશે. જો કે, તેનો અર્થ એ નથી કે, કોરોના વાયરસ સમગ્રપણે ગાયબ થઈ જશે.
WHOએ વિશ્વને આપી રાહતભરી ખબર
આ સમયે ખતમ થઈ શકે છે મહામારી
દુનિયાના દેશોમાં ઘટ્યા કોરોનાના કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, જો ઓમિક્રોન બાદ કોવિડ-19નો કોઈ મોટો પ્રકોક નહીં થાય, તો 2022માં મહામીરનો અંત થઈ જશે. જો કે, તેનો અર્થ એ નથી કે, કોરોના વાયરસ સમગ્રપણે ગાયબ થઈ જશે.
2022માં ખતમ થઈ શકે છે મહામારી
હાલમાં ભવિષ્યવાણી કરવી અઘરુ છે. પણ WHOને આશા છે કે, જો કંઈ નવું નહીં આવે તો, આ મહામારી 2022માં ખતમ થઈ શકે છે. મહામારીના અંતનો અર્થ છે કે, કોઈ મોટો પ્રકોપ નહીં આવે.
વાયરસ મ્યૂટેશન કરવામાં છે સક્ષમ
WHOએ કહ્યું કે, મોટી સંખ્યામાં કેસો આવવાનો મતલબ છે કે, વાયરસ મ્યૂટેશન કરવામાં સક્ષમ છે. એટલા માટે અમે નથી જાણતા કે કેવી સ્થિતી સામે આવશે. જો કે, સતર્ક રહેવાની આશા કરી શકાય છે કે, ઓમિક્રોન દુનિયાભરમાં ફેલાયા બાદ તેના મોટા પ્રકોપ ખતમ થઈ જશે.
ઝડપથી ફેલાયો ઓમિક્રોન
વુઝનોવિકના જણાવ્યા અનુસાર WHOની ભવિષ્ણવાણી કરવાની કોશિશ કરી રહ્યું છે કે, આ ક્યારે થશે ? પણ તે અઘરુ છે કારણ કે, દેશ હવે પોતાની પરીક્ષણ રણનીતિઓમાં ફેરફાર લાવી રહ્યું છે. ઓમિક્રોન બહું સંક્રામક હતું અને તે ઝડપથી ફેલાઈ રહ્યો હતો, જ્યારે અમુક દેશોની પાસે લક્ષણો વગરના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
WHOએ કહ્યું કે, જે તસ્વીર આપણે જોઈ રહ્યા છીએ, તે સમગ્ર પણે તે સમયના કિસ્સાઓની સંખ્યાઓ નથી દર્શાવતી, જ્યારે મહામારી ફેલાઈ હતી.
કેટલાય દેશોમાં પ્રતિબંધો હટવા લાગ્યા
કેટલાય દેશોમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. મામલામાં કમીના કારણે પ્રતિબંધો પણ હટી રહ્યા છે. સ્વીડન, ડેનમાર્ક અને નોર્વેએ તમામ કોવિડ પ્રતિબંધો હટાવી દીધા છે. સંભાવના છે કે, બ્રિટેન અને યુએસ ટૂંક સમયમાં જ તેનું અનુસરણ કરશે.
WHOના ડાયરેક્ટર ટ્રેડોસ અદનોમ ધેબિયસે હાલમાં જ કહ્યું હતું કે, કોઈ પણ દેશ માટે આત્મસમર્પણ કરવું અથવા જીતની ઘોષણા કરવી તે ઉતાવળ હશે.