કોરોના મહામારીના વધતા કેસને લઈને અનેક દેશમાં ફરીથી લોકડાઉન લાગૂ કરાયું છે. હજુ સુધી વેક્સીનને લઈને કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. સોમવારે WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે કોરોનાને લઈને દુનિયાને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે મહામારીથી લડતાં અમે ભલે થાકી ગયા હોઈએ પણ વાયરસ હજુ થાક્યો નથી.
WHOના પ્રમુખની કોરોનાને લઈને ખાસ ચેતવણી
અમે ભલે થાકી ગયા હોઈએ પણ વાયરસ હજુ થાક્યો નથી
વેક્સીનને લઈને હજુ સુધી કોઈ ખાસ પરિણામ મળ્યું નથી
WHOની મુખ્ય વાર્ષિક સભામાં ટેડ્રોસે આ વાત કહી હતી કે મહામારીથી લડતાં અમે ભલે થાકી ગયા હોઈએ પણ વાયરસ હજુ થાક્યો નથી. તેઓએ નવા ઉપરાષ્ટ્રપતિ જો બાયડનનું પણ સમર્થન કર્યું અને આશા રાખી કે મહામારીને સમાપ્ત કરવામાં વૈશ્વિક સહયોગ મળશે.
જે લોકો વૈજ્ઞાનિક વાતો પર આધાર રાખે છે તેઓ માટે કહ્યું છે કે આ ખૂબ ગંભીર બીમારી છે. વાયરસના ખતરાથી મોઢું ફેરવશો નહીં. ભલે અમે કોરોનાથી થાક્યા હોઈએ પણ તે થાક્યો નથી.
હોમ ક્વોરન્ટાઈનમાંથી બહાર આવેલાને કર્યું ખાસ સૂચન
હોમ ક્વોરન્ટાઈનમાંથી જે લોકો બહાર આવ્યા છે તેમને લઈને ટેડ્રોસે કહ્યું છે કે વાયરસ ખાસ કરીને નબળા લોકોને તેમનો શિકાર બનાવે છે. અમે તેની સાથે વાત કરી શકતા નથી અને ન તો આંખો બંધ કરી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તે જલ્દી દૂર થઈ જાય. તેઓએ કહ્યું કે આ રાજનીતિક નિવેદન કે સિદ્ધાંતો પર ધ્યાન આપતું નથી, અમારી એકમાત્ર આશા વિજ્ઞાન, સમાધાન અને એકતા પર છે.