PM મોદી અને WHOના મહાનિર્દેશક ટી.એ. ગ્રેબેયેસસે કોરોના મહામારીથી બચવા માટે સંયુક્ત રીતે વૈશ્વિક સ્તરે બુધવારે એક ચર્ચા કરી. આ દિશઆમાં આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે સાથે પારંપરિક ઔષધીઓને સામેલ કરવા માટે તેઓ રાજી થયા હતા. મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ સાથે ફોન પર વાત કરી અને મહામારીની સામે લડવા માટે સંગઠનની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી.
કોરોના મહામારીમાં વેક્સીનનો મુદ્દો ચર્ચામાં
WHOના ચીફે ભારતના કર્યા વખાણ
વેક્સીનના પ્રયાસો માટે PM મોદીને કહ્યું થેન્કસ
પીએમ મોદીએ આ વાત પર પણ જોર આપ્યું કે અન્ય બીમારીની વિરુદ્ધની લડાઈથી ધ્યાન હટવું જોઈએ નહીં. સાથે તેઓએ વિકાસશીલ દેશમાં સ્વાસ્થ્ય પ્રણાલીને સંગઠનની સાથે મદદની મહત્તાની પણ પ્રશંસા કરી. પીએમ કાર્યાલયે કહ્યું કે WHOના પ્રમુખે સંગઠન અને ભારતીય સ્વાસ્થ્ય પ્રાધિકરણની વચ્ચે લગભગ નિયમિત અને નજીકની ભૂમિકા પર ભાર આપ્યો અને સાથે આયુષ્માન ભારત અને ક્ષયરોગની વિરુદ્ધના અભિયાન જેવા ઘરેલૂ પગલાંની પણ પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્યના સંબંધમાં ભારતે મહત્વની ભૂમિકા નિભાવવાની છે.
Namaste, Prime Minister @narendramodi, for a very productive call on how to strengthen our collaboration & advance access to knowledge, research and training in traditional medicine globally. @WHO welcomes India's 🇮🇳 leading role in global health, & to universal health coverage.
લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાને લઈને વાતચીત થઈ
નિવેદનમાં કહેવાયું છે કે પીએમ મોદી અને ડબલ્યૂએચઓના પ્રમુખની વચ્ચે પારંપરિક ઔષધિ પ્રણાલીને લઈને પણ સકારાત્મક ચર્ચા થઈ છે. ખાસ કરીને દુનિયાભરના લોકોના સ્વાસ્થ્યને સારા કરવા માટે તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાને લઈને વાતચીત થઈ છે.
પીએમ મોદીએ વાતચીતમાં સંગઠનના પ્રમુખને કહ્યું કે કોરોનાને માટે આયુર્વેદ થીમ પર આધારિત 13 નવેમ્બરે દેશમાં આયુર્વેદ દિવસ ઉજવાશે. ટ્વિટ કરીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે અનેક વાતો અને પ્રયાસો માટે પીએમ મોદીને ધન્યવાદ કર્યા છે.