દેશમાં ઘણા રાજ્યોમાં સ્કૂલ ફરીથી શરૂ થઇ ગઇ છે ત્યારે WHOની ચીફ સાઇન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે.
WHOની ચીફ સાઇન્ટિસ્ટે આપી ચેતવણી
સ્કૂલ ખોલ્યા પહેલા આ બાબતોનું રાખજો ધ્યાન
ધર્મેન્દ્ર પ્રધાને લેખિતમાં જવાબ આપ્યો છે
સૌમ્યાએ આપી ગાઇડલાઇન્સ
WHOની ચીફ સાઇન્ટીસ્ટ સૌમ્યાએ કહ્યું કે બાળકો પર માનસિક, શારીરિક અને જ્ઞાન હાંસલ કરવાની ક્ષમતા પર લાંબા સમય માટે જે પ્રભાવ પડશે તેનાથી બચવાની ગાઇડલાઇન્સ આપી છે. ટ્વિટર પર લખ્યું કે સ્કૂલ ખુલે તે દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, હાથ સાફ રાખવા, શિક્ષકોને વેક્સિનેશન થઇ ગયેલું હોવું જોઇએ. તેની સાથે જ ઇન્ડોર સિંગીંગ અને સભાના આયોજનથી બચવાની પણ સલાહ આપી છે.
સ્વામીનાથને કહ્યું હતુ કે શિક્ષકોનું વેક્સિનેશન બાળકોના બચાવનો સૌથી શ્રેષ્ઠ રસ્તો હોઇ શકે છે, જ્યારે બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ નથી. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોનું વેક્સિનેશન થઇ ગયેલું હોવું જોઇએ ખાસ કરીને શિક્ષકોનું, જે બાદ જ સ્કૂલ ખોલવાનો આગ્રહ રાખવો જોઇએ.
એક ઇન્ટરવ્યૂમાં સૌમ્યાએ કહ્યું કે, મને આશા છે કે આપણી પાસે બાળકો માટે પણ કોરોના વેક્સિન હશે પરંતુ આ વર્ષે વેક્સિન બની શકે તેવું લાગતુ નથી. આપણે શાળાઓ ત્યારે જ ખોલવી જોઇએ જ્યારે સામુદાયિક સંક્રમણનો ખતરો ઓછો હોય. દુનિયામાં બાકી દેશોમાં પણ એવું જ થઇ રહ્યું છે. દરેક લોકો ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યાં છે. જો શિક્ષકોનું વેક્સિનેશન કરવામાં આવે છે તો આ એક મોટુ પગલું હશે.
સૌમ્યાએ કહ્યું કે, જ્યારે કેન્દ્ર સરકારે સંસદમાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્કૂલ ખોલવાની સ્થાનીય સરકારની યોજના પર વિચાર કરવાની સલાહ આપી છે. લોકસભામાં કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લેખિત જવાબમાં કહ્યું કે લક્ષદ્વિપ, પુડુચેરી, નાગાલેન્ડ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશે 2 ઓગસ્ટથી સ્કૂલ ખોલવાની યોજના બનાવી છે.