WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથે કહ્યુ કે ભારતમાં આંકડા ચિંતા વધારનારા છે. સરકારે યોગ્ય આંકડા દર્શાવવા જોઈએ.
ભારતમાં આંકડા ચિંતા વધારનારા છે
ભારત સરકારે યોગ્ય આંકડા દર્શાવવા જોઈએ- WHO
મોતનો અંદાજો હાલના આંકડાના આધારે વ્યક્ત કરવામાં આવે છે
ભારતમાં આંકડા ચિંતા વધારનારા છે
WHOએ ભારતની બીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથે કહ્યુ કે ભારતમાં આંકડા ચિંતા વધારનારા છે અને સરકારે યોગ્ય આંકડા દર્શાવવા જોઈએ.
મોતનો અંદાજો હાલના આંકડાના આધારે વ્યક્ત કરવામા આવે છે
એએનઆઈને આપેલા ઈન્ટર્વ્યૂહમાં સ્વામીનાથને કહ્યુ કે ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવાલ્યૂશ(આઈએચએમઈ)ના ઓગસ્ટ સુધી 10 લાખ લોકોના મોતનો અંદાજો હાલના આંકડાના આધારે વ્યક્ત કરવામા આવે છે. આમા આગળ ફેરફાર પણ થઈ શકે છે.
સરકારે સાચા આંકડા દર્શાવવા જોઈએ- WHO
તેમણે કહ્યુ કે આ સમયે સ્થિતિ બહું ચિંતાજનક છે. ભારત અને દક્ષિણ એશિયાના બીજા દેશોમાં રોજના સંક્રમણના કેસ અને મોતોની સંખ્યા ચિંતાનો વિષય છે. તમામ દેશોએ ઓછા આંકડા દર્શાવ્યા છે. હકિકતમાં સંખ્યા કંઈક અલગ છે. સરકારે સાચા આંકડા દર્શાવવા જોઈએ.
ભારતના સ્વરુપને પહેલાથી WHO દ્વારા નિગરાની સ્પરૂપની શ્રેણીમાં રખાયો
સોમવારે ડબ્લ્યૂએચઓએ કહ્યુ હતુ કે ગત વર્ષે જોવા મળેલા ભારતીય વેરિએન્ટને આખી દુનિયાએ ચિંતાજનક ગણાવ્યો હતો. કેટલાક શરુઆતના પરિક્ષણોથી ખબર પડી હતી કે આ બહું ઝડપથી ફેલાય છે. WHOના કોવિડના ભારતીય સ્વરુપને વૈશ્વિક સ્તર પર ચિંતાજનક સ્વરુપની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. WHOમાં કોવિડ 19 ટેક્નિકલ દળો સાથે જોડાયેલી ડો. મારિયા વેન કેરખોવે સોમવારે કહ્યુ કે સૌથી પહેલા ભારતમાં સામે આવેલા વાયરસના સ્વરુપને પહેલાથી WHO દ્વારા નિગરાની સ્પરૂપની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો.
ભારતીય વેરિએન્ટ વૈશ્વિક સ્તર પર ચિંતાજનક સ્વરુપની શ્રેણીમાં રાખ્યો
તેમણે કહ્યું તકે વાયરસના આ સ્વરુપને લઈને WHOના વિભિન્ન દળોની વચ્ચે ચર્ચા ચાલુ છે અને તેમની નજર એ વાત પર પણ છે કે આપણા પાસે આ સંક્રમણ અંગે શું શું જાણકારી છે અને ભારત તથા અન્ય દેશોમાં આ વાયરસના પ્રસારને લઈને શુ અધ્યયન થઈ રહ્યા છે. કેરખોવે કહ્યુ કે કોવિડ 19ના ભારતીય સ્વરુપ અંગે ઉપલબ્ધ જાણકારી તથા તેના પ્રસાર ક્ષમતા પર ચર્ચા કર્યા બાદ આમાં વૈશ્વિક સ્તર પર ચિંતાજનક સ્વરુપની શ્રેણીમાં રાખ્યો છે.