લોકડાઉનને લઈને ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે હાલમાં બીજી લહેરના નિયંત્રણ પર ભાર મૂકવો જરૂરી છે. સાથે વેક્સીનેશનને વધારે ઝડપી બનાવવું જરૂરી છે.
લોકડાઉન પર WHOના મુખ્ય વૈજ્ઞાનિકે ચેતવ્યા
બીજી લહેરના નિયંત્રણ પર ભાર મૂકવો જરૂરી
વેક્સીનેશનને વધારે ઝડપી બનાવવું જરૂરી
ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે તેના આધારે અનેક રાજ્યોએ વીકેન્ડ લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ જેવી અનેક પાબંદીઓ લગાવી છે. અનેક જગ્યાઓએ સંપૂર્ણ લોકડાઉનને લઈને પણ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. આ સમયે World Health Organisationની મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને લોકડાઉનને લઈને કહ્યું છે કે આ પરિણામ ભયાનક હોઈ શકે છે. સાથે તેઓએ મહામારીની અન્ય લહેરને નિયંત્રિત કરવામાં પણ લોકોની ભૂમિકા પર ભાર આપ્યો છે. આ સમયે તેઓએ વેક્સીનના ડોઝની પણ ચર્ચા કરી હતી.
બીજી લહેરનો સામનો કરવો પડશેઃ સૌમ્યા સ્વામીનાથન
એક માહિતિ અનુસાર ડોક્ટર સ્વામીનાથને કહ્યું કે ત્રીજી લહેરને વિશે વિચારવા અને પૂરતા લોકોને વેક્સીન આપવામાં આવે ત્યાં સુધી બીજી લહેરનો સામનો કરવાનો રહેશે. આ મહામારીમાં હજુ અન્ય અનેક લહેરો હોઈ શકે છે. WHOએ કોવિશિલ્ડ વેક્સીનના 2 ડોઝની વચ્ચે 8-12 અઠવાડિયાનું અંતર રાખવાની સલાહ આપી છે. આ સાથે સ્વામીનાથને કહ્યું છે કે હાલમાં બાળકોને વેક્સીન લગાવવાની સલાહ અપાઈ નથી. 2 ડોઝ વચ્ચેના ગેપને 8-12 અઠવાડિયા સુધી વધારી શકાય છે.
WHOના રીજનલ ડાયરેક્ટરે કહી આ વાત
WHOના રીજનલ ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રીપાલે પણ વેક્સીનની વાત પર ભાર આપ્યો છે. 7 એપ્રિલે એટલે કે આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના અવસરે તેઓએ કહ્યું કે નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેક્સીનની રફ્તારન વધારવાના પ્રયાસ કરવા જરૂરી છે. ખાસ વાત એ છે કે ભારતમાં રોજ લગભગ 26 લાખ વેક્સીનના ડોઝ અપાય છે. આ વાતમાં ભારતથી આગળ અમેરિકા છે. અહીં સરેરાશ 30 લાખ ડોઝ રોજના અપાય છે.
પુણેમાં લોકડાઉનને લઈને એક્સપર્ટે ઉઠાવ્યો વાંધો
અહીં લોકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગયા વર્ષે પણ લોકડાઉન સમયે પુણેમાં અનેક હોટસ્પોટ રહ્યા હતા. આશિંક રીતે જ્યારે લોકડાઉન હટ્યું ત્યારે આંકડા ફરી વધ્યા. ત્યારે 10 દિવસના લોકડાઉને પણ મદદ કરી ન હતી. આંકડા સતત વધ્યા હતા. લોકડાઉનના સમયે કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે વાયરસ નાના સમૂહમાં ફેલાયો. જ્યારે લોકડાઉન હટાવાશે ત્યારે તે ઝડપથી ફેલાશે કેમકે લોકડાઉનના તણાવ બાદ લોક આરામ કરે છે. માર્ચની શરૂઆત થતાં જ કોરોના સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે.