WHOએ કોરોના મહામારીના અંતને લઈને એક મોટી જાહેરાત કરી છે. WHO ચીફ ડો. ટેડ્રેસ અધનોમે કહ્યું છે કે 2022 કોરોના રોગચાળાનું છેલ્લું વર્ષ હોઈ શકે છે.
કોરોના મહામારીના અંતને લઈને WHOની મોટી જાહેરાત
WHO ચીફ ડો. ટેડ્રેસ અધનોમનું નિવેદન
2022માં કોરોના મહામારીનો અંત આવી જશે
અસમાનતા દૂર થશે તો જ કોરોના મહામારી દૂર થશે
હાલમાં આખી દુનિયા કોરોના મહામારીથી પીડિત છે ત્યારે હવે કોરોના મહામારીના અંતને લઈને WHOની જાહેરાત ઘણી રાહતજનક છે. દુનિયા પણ જાણવા ઉત્સુક છે કે આખરે આ બલા ક્યારે ટળશે. WHOએ હવે જણાવી દીધું છે કે2022 નું વર્ષ કોરોના માટે છેલ્લું વર્ષ હોઈ શકે.
સંકુચિત રાષ્ટ્રવાદ અને વેક્સિનો સંગ્રહ કોરોનાને અવરોધિત કરી શકે
તેમણે કહ્યું કે કોરોના વાયરસ તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ્યો છે. કોરોના મહામારી વર્ષ ૨૦૨૨ માં સમાપ્ત થશે. પરંતુ સંકુચિત રાષ્ટ્રવાદ અને રસીનો સંગ્રહ કરનારાઓ તેને અવરોધિત કરી શકે છે. રસીની અસમાનતાએ ઓમિક્રોન જેવા વિવિધ વેરિયન્ટને પેદા કરવાની તક પૂરી પાડી છે. તેમણે સમજાવ્યું હતું કે રસીની અસમાનતા જેટલી વધારે હોય છે, વાયરસ થવાનું જોખમ વધારે હોય છે.
અસમાનતા દૂર થશે તો જ મહામારી દૂર થશે
WHO ચીફ કહ્યું કે, 'જો આપણે અસમાનતાને દૂર કરીશું તો મહામારી સમાપ્ત થઈ જશે. ગ્લોબલ વેક્સિન ફેસિલિટી સીઓવીએએક્સ, ડબ્લ્યુએચઓ અને અમારા ભાગીદારો વિશ્વભરના લોકો માટે રસીઓ, પરીક્ષણો અને સારવાર સુલભ બનાવવા માટે કામ કરી રહ્યા છે. રસીના આધારે અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ બચી ગયા છે. કોવિડ-19ને અટકાવવા અને તેની સારવાર માટે ડોકટરો પાસે હવે નવી દવાઓ અને તબીબી સાધનો છે.
બ્રિટનના વૈજ્ઞાનિક પૌલ હંટર પણ જણાવી ચૂક્યા છે કે એપ્રિલ 2022માં કોરોના જતો રહેશે
બ્રિટનની ઈસ્ટ એન્ગલિયાના પ્રોફેસર પૌલ હંટરને એક મોટી ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે એપ્રિલ 2022 સુધીમાં દુનિયામાંથી કોરોના જતો રહેશે. પ્રોફેસર પૌલ હંટરે જણાવ્યું કે એપ્રિલ સુધીમાં કોરોના નોર્મલ થઈ જશે અને જીનજીવન થાળે પડી જશે. તેમણે કહ્યું કે એપ્રિલ સુધીમાં કોરોના સામાન્ય શરદી-ખાંસી જેવી બીમારી બની જશે અને એક પણ કેસ નહીં આવે. આપણે કોરોના પોઝિટીવ લોકોને આપણે સમજાવી શકીશું કે તેઓ કોરોનાથી ડરે નહીં અને આ એક સામાન્ય શરદી ખાંસી જેવો વાયરસ છે તેનાથી ડરવાની જરુર નથી.