કોરોનાને હરાવવા માટે દુનિયાભરના લોકો રસી બનાવવામાં લાગેલા છે. રસીને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક વાર ફરી ચેતવણી આપી છે. WHOના ચીફ એડહાનોમે પોતાના ચેતવણીમાં જણાવ્યું છે કે ભલે કોરોનાની અનેક રસી બનાવી લેવામાં આવી હોય પણ તે એકલા હાથે આ બિમારીને ખતમ નહીં કરી શકે.
લક્ષણો દેખાવા પર તેમને આઈસોલેટ કરવાની જરુર રહેશે
શરુઆતમાં તેને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે
એકલા હાથે આ બિમારીને ખતમ નહીં કરી શકે.
WHOના ચીફ ટેડ્રોસ એડહાર્નોમે કહ્યું કે ભલે દુનિયામાં કોઈ પણ રસી આવી જાય પરંતુ તે એકલી કોરોનાની મહામારીને નહીં રોકી શકે. ટેડ્રોસે કહ્યું કે આપણે રસીને તે તમામ રીતે અમલમાં લાવવી જોઈએ. જેનો ઉપયોગ કરવો પડશે. પરંતુ એવું નથી કે રસી આવ્યા બાદ તમામ ટ્રીટમેન્ટ સિસ્ટમ રિપ્લેસ કરી દેવામાં આવે. જે અત્યારે વપરાઈ રહી છે.
ટેડ્રોસે રસીની સપ્લાઈ ચેન અંગે કહ્યું કે જો રસીનું નિર્માણ થાય છે તો તેને શરુઆતમાં તેને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. આ બાદ જનસંખ્યાના અન્ય લોકોની પ્રાયોરિટી નક્કી કરવામાં આવશે. એ નક્કી છે કે રસી આવ્યા બાદ કોરોનાથી થનારા મોતની સંખ્યામાં ઘટાડો નોંધાશે અને હેલ્થ સિસ્ટમ સારી થશે.
ટેડ્રોસે ચેતવણી આપતા કહ્યું કે રસી આવ્યા બાદ સંક્રમણ ફેલાવાની પર્યાપ્ત સંભાવના રહેશે. રસી આવ્યા બાદ લોકોનું ઓબ્જર્વેશન કરવા, તેમના ટેસ્ટ કરવા અને લક્ષણો દેખાવા પર તેમને આઈસોલેટ કરવાની જરુર રહેશે.