શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપતા જણાવ્યું કે પીએમ મોદીનો મુકાબલો કરવા માટે વિપક્ષની પાસે કોઈ મજબૂત ચહેરો નથી.
શિવસેના સાંસદ સંજય રાઉતે પીએમ મોદીના વખાણ કર્યાં
વિપક્ષની પાસે મોદીનો મુકાબલો કરવા માટે કોઈ ચહેરો નથી
શરદ પવાર મોદી સામે મુકાબલો કરવા માટે સાચો વિકલ્પ
જ્યારથી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી જઈને મોદી સાથે મુલાકાત કરી છે ત્યારથી શિવસેનાના નેતાઓ ભાજપ અને પ્રધાનમંત્રીના જાહેરમાં વખાણ કરી રહ્યાં છે. ભાજપ અને પીએમના વખાણ શિવસેના-ભાજપ વચ્ચેના સંબંધો સુધર્યાં હોવાનો સંકેત લાગી રહ્યો છે.
શરદ પવાર મોદીનો મુકાબલો કરી શકે
સંજય રાઉતે જણાવ્યું કે એનસીપી ચીફ શરદ પવાર પીએમ મોદીનો મુકાબલો કરી શકે છે. 2024 ની ચૂંટણીમાં કોઈ મોટા ચહેરા વગર મોદીને હરાવવા મુશ્કેલ બની જશે. તેથી શરદ પવાર યોગ્ય વિકલ્પ છે. રાઉતે જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા છે પરંતુ તેમની કરતા પણ મોટા નેતા મોજૂદ છે. કોંગ્રેસમાં લીડરશીપ અંગે સંકટ છે તેથી અત્યાર સુધી પાર્ટી અધ્યક્ષની પસંદગી થઈ શકી નથી.
દેશના વિપક્ષને સાથ લાવી શકશે પીકે
સંજય રાઉતે કહ્યું કે પ્રશાંત કિશોર વિપક્ષને સાથ લાવવામાં મોટું યોગદાન આપી શકે. જો કોઈ બિન રાજકીય પક્ષનો માણસ આ કામ કરે તો બધાને તે મંજૂર હશે.