PM મોદીએ ગુરુવારે દિલ્હીમાં સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારોને નિશાન બનાવ્યા
નવા કાર્યલયથી કામગીરીને વધુ અસરકારક બનવાશે
સંરક્ષણ સંકુલ બનાવવાનું કામ સમય પહેલા પૂર્ણ થઈ ગયું છે.
રાજનાથસિંહે પણ સ્વીકાર્યું જૂનું સરંક્ષણ સંકુલ જર્જરિત હતું
સંરક્ષણ સંકુલનું કામ સમય પહેલા પૂર્ણ થયું
વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા નવા સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રજોક્ટના ટીકાકારોને ઘેરી લીધા હતાં. PM મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ સેન્ટ્રલ વિસ્ટા પર મૂંઝવણ ફેલાવવાનું કામ કર્યું છે. આજે દેશ જોઈ રહ્યો છે કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ આપણે શું કરી રહ્યાં છીએ. સંરક્ષણ સંકુલ બનાવવાનું કામ સમય પહેલા પૂર્ણ થઈ ગયું છે.
#WATCH | "People who were after Central Vista Project would be conveniently quiet on this, which is also part of Centra Vista... They knew their falsity would be exposed...," says PM Narendra Modi at the launch of New Defence Offices Complexes in Delhi pic.twitter.com/jIFNaVv55d
જે કામ આઝાદી પછી તરત થવું જોઈતું હતું તે આજે થઈ રહ્યું છે.
PM મોદીએ વધુમાં ઉમેર્યુ હતું કે, અમે કામ કરવાની નવી શૈલી અપનાવી છે. જનતાએ 2014માં દેશની સેવા કરવાની તક આપી હતી. સરકારમાં આવતાની સાથે જ હું સંસદ ભવન બનાવવાનું કામ શરૂ કરી શક્યો હોત. પરંતુ એમ એ વિકલ્પ પસંદ કર્યો નથી.અમે સૌ પ્રથમ દેશ માટે જમણે જીવનું બલિદાન આપ્યું તેનું સ્મારક બનાવવાનું નક્કી કર્યુ. જે કામ આઝાદી પછી તરત જ થવું જોઈતું હતું, તે કામ આજે અમે કરી રહ્યાં છીએ. દેશની ઓફિસોને ઠીક કરવાની પહેલ પણ ઉઠાવી છે. જેમાં સૌથી પહેલા અમે દેશના શહીદોને આદર આપવાનું કામ કર્યું આ પ્રસંગે PM મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વેબસાઇટ પણ લોન્ચ કરી હતી.
નવા કાર્યલયથી કામગીરીને વધુ અસરકારક બનવાશે
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નવું સંરક્ષણ કાર્યાલય સંકુલ આપણા દળોની કામગીરીને વધુ અનુકૂળ, વધુ અસરકારક બનાવશે. 21 મી સદીમાં ભારતની સૈન્ય શક્તિને દરેક રીતે મજબૂત કરવામાં આવી રહી છે. એક પછી એક તેમને આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં તે કેવી રીતે શક્ય બને કે દેશની સુરક્ષાને લગતું કામ દાયકાઓ જૂના પરિસરમાં થવું જોઈએ? PM મોદી વધુમાં કહ્યું કે આજે જ્યારે આપણે 'ઈઝ ઓફ લિવિંગ' અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, ત્યારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ મોટી ભૂમિકા છે. સેન્ટ્રલ વિસ્ટા પર આજે જે કામ થઈ રહ્યું છે તેના મૂળમાં આ ભાવના છે.
રાજનાથસિંહે પણ સ્વીકાર્યું જૂનું સરંક્ષણ સંકુલ જર્જરિત હતું
તમને જણાવી દઈએ કે પીએમ પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે જૂનું સંરક્ષણ સંકુલ એટલું જર્જરિત થઈ ગયું છે કે તે તૂટી જવાની આરે છે. હવે 7,000 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ નવા કેમ્પસમાં સારી કામ કરવાની સ્થિતિમાં કામ કરી શકશે. આ સંકુલ 21 મી સદીની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યા છે અને તમામ પ્રકારની સુવિધાઓથી પણ સજ્જ છે.