સંસદના ચોમાસા સત્રના અનેક મુદ્દાઓ પર મોદી સરકારે ગૃહમાં કહ્યું છે કે તેની પાસે આંકડા નથી. આ અંગે કોંગ્રેસના નેતા શશિ થરૂર એ મંગળવારે એક કાર્ટૂન શેર કરતા કેન્દ્રની NDA સરકાર પર કટાક્ષપૂર્ણ રીતે હુમલો કર્યો હતો.
શશિ થરૂરે સરકાર પર નિશાન સાધ્યું હતું
ટ્વિટર પર કાર્ટૂન શેર કરી કર્યો કટાક્ષ
કહ્યું- સરકારે NDA ની વ્યાખ્યા બદલી નાખી
સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ચર્ચાના અનેક મુદ્દાઓ પર, મોદી સરકારે ગૃહમાં કહ્યું છે કે તેમની પાસે આંકડા નથી. ગયા અઠવાડિયે લોકડાઉનમાં સ્થળાંતર કરનાર પ્રવાસીઓના મોત બાદ હવે સરકારે એમ પણ કહ્યું છે કે તેની પાસે ખેડૂતોના મોત અંગેનો ડેટા નથી. આ માટે બાબત પર કોંગ્રેસ નેતા શશિ થરૂર એ મંગળવારે એક કાર્ટૂન શેર કરી કેન્દ્રની NDA સરકાર પર નિશાન સાધ્યું હતું.
No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima
એક ટવીટમાં થરૂરે કહ્યું હતું કે NDA નો અર્થ No data available એમ થાય છે. જે કાર્ટૂન શેર કર્યું છે તેની સાથે લખ્યું છે, 'પરપ્રાંતિય મજૂરો અંગેનો કોઈ ડેટા નથી, ખેડૂતોની આત્મહત્યા અંગેનો કોઈ ડેટા નથી. ફિસ્કલ સ્ટીમ્યુલસ પર ખોટો ડેટા છે, કોરોના વાયરસ થી થતા મૃત્યુ અંગે પણ ભ્રામક ડેટા છે. આ સિવાય GDP વૃદ્ધિ અંગેનો કોઈ સ્પષ્ટ ડેટા નથી - આ સરકારે NDA શબ્દની વ્યાખ્યા જ બદલી કાઢી છે. આ સાથે જ સરકારને The Name Changers તરીકે વર્ણવી હતી.
નોંધનીય છે કે સંસદમાં સરકાર તરફથી આત્મહત્યા, લોકડાઉન માં મૃત્યુ પામેલા પરપ્રાંતિય મજૂરોની સંખ્યા, કોરોનાવાયરસ થી નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા, દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ લોકોની સંખ્યા, કોરોના વાયરસ ને કારણે પોતાનો જીવ ગુમાવનારા આરોગ્ય કર્મીઓ, સફાઇ કામદારો અને ડોકટરોની સંખ્યા અને દેશમાં પ્લાઝ્મા બેંકોની કુલ સંખ્યા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, પરંતુ NDA સરકાર પાસે તેમના પર કોઈ જવાબ નથી.
વિવિધ મુદ્દે NDAસરકારે કહ્યું છે કે તેમની પાસે ડેટા અવેલેબલ નથી
ખેડુતોની આત્મહત્યા અંગે NDA સરકારે કહ્યું છે કે રાજ્યોએ ડેટા પૂરા પાડ્યા નથી. ગેરકાયદેસર સ્થળાંતર અંગે સરકાર કહે છે કે 'પ્રક્રિયા ચાલુ છે'. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સોમવારે રાજ્યસભા માં કહ્યું હતું કે 'ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ ભારતમાં આવે છે' ખૂબ જ ગુપ્ત રીતે તેઓ દાખલ થાય છે તેથી તેમને શોધી કાઢવાની, તેમને કસ્ટડીમાં લેવાની અને ફરી પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. '
રવિવારે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે ડેટાના અભાવે NDA સરકાર પર હુમલો કર્યો હતો. પૂર્વ નાણાં પ્રધાને કહ્યું કે આવી પરિસ્થિતિમાં કૃષિ પ્રધાન ને કેવી ખબર પડે કે કયા ખેડૂતે કયા ઉદ્યોગપતિને પાક વેચી દીધો છે? તેઓને કેવી રીતે ખબર પડશે કે દેશમાં કેટલા કરોડો વ્યવહાર થઈ રહ્યા છે? જો તેમની પાસે ડેટા નથી, તો તેઓ કેવી રીતે ખાતરી કરશે કે દરેક વ્યવહારમાં MSP ચૂકવવામાં આવી રહી છે કે નહીં? કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું.