દેશના વિવિધ રાજ્યોમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવા માટેનું એક અનોખુ કામકાજ મોદી સરકારે ઉઠાવ્યું છે ત્યારે તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદ ખાતે મેટ્રોના એક ફેઝનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન મોદીએ કર્યું. તો આ સાથે જ બીજી તરફ પુણેમાં પણ મેટ્રોનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ ખોદકામ દરમિયાન એક સુરંગ મળી આવી હતી. જે એક સદી જુની હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
આ સુરંગનો ઉપયોગ ક્યારેક પાણી માટે કરવામાં આવતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેની જાણકારી અધિકારીઓએ જાહેર માધ્યમોને આપી હતી. આ મામલે સ્થાનિક ઇતિહાસવિદ્ મંદાર લવાદેએ કહ્યું કે, આ 57 મીટર લાંબી સુરંગ સ્વારગેટ ક્ષેત્રમાં આવી છે. જે લગભગ 90 વર્ષ જુની હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ સુરંગ બ્રિટિશ સમયગાળાની છે જેનો ઉપયોગ પાણી માટે કરવામાં આવતો હતો.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વારગેટ નજીક એક જળના નિકાસ માટેની વ્યવસ્થા હતી જે એક નહેરક્ષેત્ર માંથી પસાર થતી હતી. એક સંભાવના એવી પણ છે કે, આ ચેનલના માધ્યમથી કાઢવામાં આવતુ હતુ અને સ્વારગેટ નજીક આવેલ સ્વીમિંટ પૂલમાં ઠાલવવામાં આવતું હતું.
આ સુરંગ સપાટીથી 12-15 ફૂટ નીચે છે અને 1.4 મીટર પહોળી અને 3.5 મીટર ઉંચી છે. આ સુરંગ મેટ્રોના ખોદકામ સમયે મળી આવતા આસપાસના લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે આવી પહચ્યા હતા.