ગામના ત્રણ યુવકો ખરીદી કરવા માટે લખતર જતા દરમ્યાન બંદ પડેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત
સુરેન્દ્રનગરના કડું નજીક અકસ્માતમાં 3ના મોત
બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત
3 યુવકો કડું થી લખતર ખરીદી માટે જઇ રહ્યા હતા
અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ મૃતક કડું ગામના
સુરેન્દ્રનગરમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે સવારે ત્રણ યુવકો બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે " ન જાણ્યું જાનકીનાથે.... " પંક્તિની જેમ ત્રણેય યુવકો બંધ પડેલી ટ્રકની પાછળ ઘૂસી ગયા હતા. જ્યાં ગંભીર અકસ્માતને કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે સવારે સુરેન્દ્રનગરના કડું ગામ નજીક મગર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સવારના સમયે જ્યારે ત્રણ વ્યક્તિ બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર બંધ પડેલી ટ્રકની પાછળ તેમનું બાઇક ઘૂસી ગયું હતું. જ્યાં ગંભીર રીતે ઈજગરસ્ત થયાં બાડ ત્રણેયના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા.
બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત
લખતર પંથકના કડું ગામના ત્રણ યુવકો ખરીદી કરવા માટે લખતર જઈ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક રોડ ઉપર બંદ થયેલી હાલતમાં ઊભેલી ટ્રક પાછળ તેમનું બાઇક ઘૂસી ગયું હતું. જેને કારણે ત્રણેય આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કરુંણ મોત થયાં હતા.
ગામમાં શોકનો માહોલ
કડું ગામના ત્રણ યુવકો ખરીદી કરવા માટે લખતર જઈ રહ્યા દરમ્યાન અકસ્માતમાં મોત થતાં હાલ ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. આ તરફ મૃતકોના પરિવાર પર અભ ફાટી પડ્યું છે. સમગ્ર ઘટનાને લઈ લખતર પોલીસે સ્થળ પર પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.