અમરેલીના જાફરાબાદના નાગેશ્રીના જુના પાદરામાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે યુવક ચેટ કરી રહ્યો હતો અને મોબાઈલ તેના હાથમાં હતો. ત્યારે વિસ્ફોટ થયા બાદ મોબાઈલ અચાનક સળગતા યુવકને ઈજા પહોંચવા પામી હતી.
અચાનક મોબાઈલમાં વિસ્ફોટ થયો અને આગ લાગીઃમોબાઈલ ધારક
આ બાબતે મોબાઈલ ધારક જાદવ રાજેશભાઈ બાબુભાઈએ જણાવ્યું હતું કે હું ગત રોજ મોબાઈલમાં યુટ્યુબ, ફેસબુક જોતો હતો તે સમયે અચાનક મોબાઈલમાં વિસ્ફોટ થયો અને અચાનક મોબાઈલની પાછળના ભાગે આગ લાગી હતી.
ડિવાઈસ અથવા બેટરીનું ફિઝિકલ ડેમેજ
ફોનની બેટરીના ફાટવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે ડેમેજ બેટરી. ઘણી વખત તમે પોતાનો ફોન નીચે પાડો છો. તેના કારણે બેટરી ખરાબ થઈ જાય છે. જેનાથી શોર્ટ-સર્કિટ, ઓવરહીટિંગ અને બીજુ પણ ઘણુ બધુ થઈ શકે છે. જો તમારી બેટરી ખબાર થઈ ગઈ છે તો મોટાભાગના મામલામાં તે ફૂલી જાય છે. જેનાથી રિયર પેનલને જોઈને ઓળખી શકાય છે. સુરક્ષિત રહેવાના ઉપાયો
જો તમને હજુ પણ લાગે છે કે બેટરી ફૂલી ગઈ છે તો તેને સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ અને ઓરિજનલ બેટરી નખાવો. ગમે તે ચાર્જરનો ઉપયોગ
આ બેટરી બ્લાસ્ટની ઘટનાઓ થવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે. બ્રાન્ડ હંમેશા યુઝર્સને ઓફિશયલ ચાર્જરનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ મોટાભાગે લોકો આમ નથી કરતા હોતા. પ્રોપરાઈટરના ચાર્જના ઉપરાંત કોઈ અન્ય ફોનને ચાર્જ કરવું હંમેશા જોખમ ભર્યુ હોઈ શકે છે અને એવું એટલા માટે કારણ કે થર્ડ-પાર્ટી ચાર્જર્સમાં મોબાઈલ ડિવાઈસ માટે જરૂરી સ્પેક્સની કમી હોય છે. મોટાભાગના મામલામાં, સસ્તા અને અપ્રમાણિત ચાર્જર ફોનને ગરમ કરે છે અને બેટરી સહિત ઈન્ટરનલ કંપોનેન્ટ્સને નુકસાન પહોંચાવી શકે છે.
આખી રાત ન કરો ચાર્જ
આખી રાત ચાર્જ કરવાથી ફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાના મોબાઈલ ફોનને આખી રાત ચાર્જ પર રાખે છે. આ હકીકતે તમારા ફોનને બગાડે છે. વધારે સમય સુધી ચાર્જ કરવાથી ઓવરહીટિંગ, શોર્ટ-સર્કિટ અને ક્યારેક ક્યારેક વિસ્ફોટ થઈ જાય છે. આ કારણથી, કોઈ ચિપ્સ ચાર્જિંગ સ્તર 100 ટકા પહોંચવા પર ચાર્જિંગ ઓટોમેટિક બંધ કરવાની ક્ષમતાની સાથે આવે છે પરંતુ ઘણા ફોનમાં આવી સુવિધા નથી હોતી. બેટરી પાણી અથવા સીધા તાપના સંપર્કમાં આવે
ફોનની બેટરીને સીધા તાપ કે પાણીના સંપર્કમાં લાવવાથી બેટરી ફાટવાની ઘટનાઓ થઈ શકે છે. ઘણી વધારે ગરમી સેલ્સને અનસ્ટેબલ કરી શકે છે અને ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડ જેવા ગોસોનું ઉત્પાદન કરી શકે છે. જેથી બેટરી ફૂલી શકે છે અને છેલ્લે ફાટી શકે છે. માટે સારૂ રહેશે કે ફોનને સીધા તાપમાં ન રાખો. આ જ રીતે ફોન/ કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણને પાણીના સંપર્કમાં લાવવાથી બેટરી સહિત અંતરિક ભાગ પ્રભાવિત થઈ શકે છે. તેનાથી વિસ્ફોટની ઘટાન થઈ શકે છે. આજકાલ અમુક ફોન આઈપી સર્ટિફિકેટશનની સાથે આવે છે. પરંતુ આવા વિકલ્પ સીમિત હોય છે.